________________
ગણુધરવાદ
(ગણધર
વ્યકત– “ઘટ અને તેના અસ્તિત્વને અભિન માનતાં બધું જ ઘટરૂપ થઈ જાય અને તેથી અઘટ જેવી વસ્તુ ન હોવાથી ઘટ પણ ન સંભવે એવી મારી વિચારણા શે ખુલાસો છે ?
ભગવાન–ઘટસત્તા–ઘટનું અસ્તિત્વ એ ઘટને ધર્મ હોવાથી ઘટથી અભિ-ન છે; છતાં તે પટાદિથી તો ભિન્ન છે, એટલે “ઘટ છે” અર્થાત ઘટને અસ્તિ કહેવા માત્રથી ઘટ જ છે અને બીજું કશું જ નથી' એવો નિયમ કેવી રીતે ફલિત થાય? કારણ કે ઘટની જેમ પટાદિની સત્તા પટાદિમાં છે જ, તેથી ઘટની જેમ તે અઘરૂ૫ પટાદિ બધા પદાર્થો પણ વિદ્યમાન જ છે. એ રીતે અઘટ પણ હેવાથી તદુનિને ઘટ કહી જ શકાય છે. (૧૭૨૨)
વ્યકત-ઘટ અને અસ્તિત્વ એક જ હોય તો “જે જે અસ્તિ છે તે બધું જ ઘટ છે એવો નિયમ શા માટે ન બને ? અથવા “ઘટ છે એમ કહેવાથી તે પટાદિ સમસ્ત વસ્તુરૂપ કેમ ન બને ?
ભગવાન–તે એટલા માટે ન બને કે ઘટનું અસ્તિત્વ પટાદિના અસ્તિત્વથી જુદું છે. અને ઘટનું અસ્તિત્વ ઘટમાં જ છે પટમાં નથી, માટે ઘર અને તેને અસ્તિત્વને અભિન્ન મનવા છતાં ઉક્ત નિયમ બનાવી ન શકાય અને ઘટને અતિ કહેવાથી તેનું જ અસ્તિત્વ જ્ઞાન થતું હોવાથી તેને સર્વાત્મક કેવી રીતે કહી શકાય ? (૧૭ર૩)
તાત્પર્ય એ છે કે અસ્તિ” અર્થાત છે—માત્ર કહેવાથી તે જેટલા પદાર્થોમાં અસ્તિત્વ ધર્મ હોય તે બધાનો બોધ થાય એટલે કે ઘટ અને અઘટ એ સર્વને બોધ થાય; પણ ઘટ કહેવાથી તે ઘટ છે જ એટલું જ્ઞાન થાય, કારણ કે ઘટનું અસ્તિત્વ ઘટપૂરતું જ મર્યાદિત છે. જેમ વૃક્ષ કહેવાથી આમ્ર અને તેવાં નિમ્બાદિ બીજા વૃક્ષને બોધ થાય છે, કારણ કે એ બધામાં વૃક્ષત્વ સરખું છે, પણ આમ્ર કહેવાથી તે તે વૃક્ષ છે જ એટલું જ્ઞાન થાય, કારણ છે જે અવૃક્ષ હોય તે આમ્ર ન કહેવાય. (૧૯૨૪)
વ્યક્ત-જાત-અજાત આદિન વિકલપો વિશે આપને શે ખુલાસે છે ? ભગવાન–મારે તને એ બાબતમાં એટલું જ પૂછવાનું છે કે તું જાતઉત્પન
કેને કહે છે? જાત-અજાત-ઉભય-ભાયમાન એ ચારે પ્રકારે ઉત્પત્તિ ઉત્પત્તિનો સંભવ નથી ઘટતી-અથવું એ ચારે પ્રકારે તે અજાત છે, એમ તું જાત
વિશે કહે છે તે તું બતાવ કે તારે મને અજાત એવું જાત તે કેવું છે? તે ગમે તેવું હોય, પણ તને જે સિદ્ધ હોય તો સર્વશયતાની વાત તારે
૧, ગા૦ ૧૬૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org