SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્ત] શુન્યવાદનિરાસ : [૭૯ પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે બાહ્ય કારણો નિમિત્ત માત્ર હોઈ તેને ઉપયોગ છતાં બધુ સ્વતસિદ્ધ જ મનાય છે, કારણ કે બાહ્ય નિમિત્તો હોવા છતાં ખરવિષાણાદિ પદાર્થો જે સ્વતઃસિદ્ધ નથી હોતા તે કદી પણ સિદ્ધ થઈ શકતા નથી, એટલે સર્વ વસ્તુઓ નિશ્ચયનયને મતે સ્વતઃસિદ્ધ જ મનાય છે. એ પ્રકારે વ્યવહાર અને નિશ્ચય એ બને નાના આશ્રયે થતું વસ્તુદર્શન સમ્યફ કહેવાય છે. (૧૭૧૮) વ્યકત-અસ્તિત્વ અને ઘટના એકાએકત્વની–ભેદભેદની જે દલીલ છે તેનો શે ઉત્તર છે? ભગવાન–પ્રથમ “ઘટ છે' એમ સિદ્ધ થાય પછી જ ઘટ અને તેનો ધર્મ અસ્તિત્વ–એ બંને એક છે કે અનેક છે એવી પર્યાય વિશેની * સર્વશૂન્યતાનું વિચારણા પ્રવર્તે છે. આથી તો એ સ્પષ્ટ સિદ્ધ છે કે ઘટ અગર નિરાકરણ અસ્તિત્વને અભાવ તે માની શકાય જ નહિ. જે વસ્તુ ખરવિષાણ જેમ પ્રથમથી જ અસિદ્ધ હોય છે તે વિશે એકાએકતાના પર્યાય વિચાર પણ નથી થતા. જે ઘટ અને તેનું અસ્તિત્વ અવિદ્યમાન હોય છતાં તે વિશે એકાએકત્વની વિચારણા પ્રવર્તતી હોય તે ખરવિષાણ વિશે પણ તે પ્રવર્તાવી જોઈએ. પ્રવર્તતી તે નથી, માટે માનવું જોઈએ કે જે ઘટાદિ વિશે એ ચર્ચા કરવામાં આવે છે તેને ખરવિષાણની જેમ સર્વથા અભાવ સંભવે નહિ. (૧૭૧૯) વળી, તે જેમ ઘટ છે' માટે ઘટ અને અસ્તિત્વ વિશે જે દલીલ કરી તે જ દલીલ તારા મતે “ઘટ શન્ય છે માટે ઘટ અને અન્યતા વિશે પણ કહી શકાય કે ઘટ અને શૂન્યતાને ભેદ છે કે અભેદ? જો ઘટથી શૂન્યતા ભિન્ન હોય તે, વ્યક્ત ! તું જ બતાવ કે ઘટથી ભિન્ન એવી શુન્યતા કઈ છે ? અને જે ઘટ અને શન્યતા અભિન્ન હોય તે પછી ઘટ જ માન જોઈએ, કારણ કે તે પ્રત્યક્ષથી ઉપલબ્ધ થાય છે અને શૂન્યતા જે ધર્મ કેઈ સ્વતંત્ર ઉપલબ્ધ થતો ન હોવાથી તે માનવાની આવશ્યકતા રહેતી નથી. (૧૭૨૦) વળી, “આ ત્રણે લોક શન્ય છે એવું જે વિજ્ઞાન તને થાય છે અને ઉક્ત વચનો જે તું બોલે છે તે બંને સાથે તારો અભેદ છે કે ભેદ ? જે અભેદ હોય તે “પછી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, કારણ કે જેમ શિંશપ અને વૃક્ષનું એકત્ર સદ્ભૂત છે તેમ તમારું બધાંનું પણ છે. તેથી શન્યતા માની શકાય નહિ. અને જે તું વિજ્ઞાન અને વચનથી ભિન્ન હોય તો તું પથ્થર જેમ અજ્ઞાની અને વચનશન્ય એટલે કે જ્ઞાન વિનાને અને વચન વિનાને થયો. એટલે તું વાદી અર્થાત શન્યવાદી કેવી રીતે થઈશ ? તે પછી શુન્યવાદ કેવી રીતે સિદ્ધ થશે ? (૧૭૨૧) ૧. જુઓ ગા૦ ૧૬૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy