________________
ગણધરવાદ
[ગણધર સર્વસત્તા માત્ર પણ વસ્તુસત્તાનું લક્ષણ છે, એટલે સ્વાદિ પદાર્થો સ્વવિષયક જ્ઞાનને સાપેક્ષ નથી ઉત્પન્ન કરતા હોવાથી પણ સત-વિદ્યમાન છે તેથી તેમને અસિદ્ધ
કેમ કહી શકાય ? વળી, સ્વયં અસત એવી આંગળીમાં હસ્વત્વાદિ, અન્યાંગુલિસાપેક્ષ હોય તે, યં અસંત એવા ખરવિણમાં પણ અન્યની અપેક્ષાએ સ્વિત્વાદિ વ્યવહાર કેમ નથી થતો? સર્વશન્યતા સમાન હોવા છતાં એકમાં જ સ્વત્વાદિ વ્યવહાર થાય છે અને બીજામાં તે નથી થતો તેનું શું કારણ? એટલે માનવું જોઈએ કે અંગુલિઆદિ પદાર્થો સ્વયં સત્-વિદ્યમાન છે અને તેમાં અનત ધર્મો હોવાથી જુદા જુદા સહકારીના સંનિધાનથી જુદા જુદા ધમે અભિવ્યક્ત થાય છે અને તે વિશેનું જ્ઞાન થાય છે, પણ જે અંગુલિઆદિ પદાર્થો ખરવિષાણુની જેમ સર્વથા અસત-અવિદ્યમાન હોય તો તેમાં અપેક્ષાથી પણ હ્રસ્વ-દીર્ઘત્વાદિ વ્યવહાર સંભવે નહિ અને સ્વત, પરતઃ ઇત્યાદિ વિકલ્પો પણ સંભવે નહિ.
વ્યકત–શન્યવાદીના મતે આ સ્ત્ર છે અને આ પર છે ઇત્યાદિ ભેદવ્યવહાર છે જ નહિ; પણ પરવાદીઓ તે વ્યવહાર કરે છે તેથી તેમની અપેક્ષાએ સ્વતઃ પરતઃ ઈત્યાદિ વિકપની સૃષ્ટિ સમજવી જોઈએ. ભગવાન–પણ જ્યાં બધું જ શૂન્ય હોય ત્યાં વળી સ્વમત અને પરમત
એ ભેદ પણ સંભવે નહિ, અને જે વમત અને પરમતને શૂન્યવાદમાં સ્વ- ભેદ સ્વીકારવામાં આવે તો શુન્યવાદ જ બાધિત થઈ જાય. પક્ષનો ભેદ ન ઘટે
(૧૯૦૯) વ્યકત –બધે વ્યવહાર સાપેક્ષ છે એ તો મેં કહ્યું જ છે.
ભગવાન સ્વ-દીર્ઘ આદિ વ્યવહારને તું સાપેક્ષ માને છે, પણ તેમાં મારો પ્રશ્ન છે કે સ્વ-દીર્ઘનું જ્ઞાન યુગપ૬ થાય છે કે કમથી ? જે યુગપ૬ થતું હોય તે જે સમયે મધ્ય માંગુલિ વિશે દીર્ધત્વને પ્રતિભાસ થયે તે જ સમયે પ્રદેશિનીમાં હસ્વત્વને પણ પ્રતિભાસ થયો એમ જ માનવું જોઈએ. એટલે કે યુગ૫૬ પક્ષમાં એક જ્ઞાનમાં બીજાની કશી જ અપેક્ષાને અવકાશ રહેતો ન હોવાથી હ્રસ્વ-દીર્ધાત્વાદિ વ્યવહાર સાપેક્ષ છે એમ કેવી રીતે કહેવાય? અને જો હસ્વ-દીર્ઘનું જ્ઞાન ક્રમથી માનતો હો તો પણ પ્રથમ પ્રદેશિનીમાં હસ્વત્વનું જ્ઞાન થઈ જ ગયું છે પછી મધ્યમાંગુલિના દીર્ઘત્વજ્ઞાનની અપેક્ષા ક્યાં રહી? આ રીતે બંને પક્ષમાં હવ-દીર્ઘ – વ્યવહાર સાપેક્ષ છે એમ સિદ્ધ થતું નથી. એટલે બધા પદાર્થો ચક્ષુરાદિ સામગ્રી ઉપસ્થિત થતાં બીજા કશાની અપેક્ષા રાખ્યા વિના જ સ્વજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે, આ વસ્તુ સ્વતઃસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org