________________
૭૨] . ગણધરવાદ
[ગણધર અને જયાંસુધી ઘટાદિ કાર્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેમાં ઘટાદિ સંજ્ઞાની પ્રવૃત્તિ ન હોવાથી તે સ્વભાવતઃ અનભિલાષ્ટ્ર-અવાચ્ય છે.'
લોકમાં જે કાંઈ સંજીની પ્રવૃત્તિ દેખાય છે તે સામગ્રીમાં જ છે તેથી ભાવે જ નથી. અને જે ભાવે જ ન હોય તો સામગ્રી પણ ન બને.(૧૯૮૫) સર્વશચતાની સિદ્ધિ અન્ય પ્રકારે પણ થાય છે. જે અદશ્ય છે તે તે અનુપલબ્ધ
હોવાથી ખરવિષાણુની જેમ અસત જ છે. જે દશ્ય કહેવાય છે, તેને અદય હોવાથી પણ પાછલો ભાગ અદશ્ય હોવાથી અને સૌથી નજીકનો ભાગ શૂન્યતા સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, તેથી તે પણ સર્વથા અદશ્ય જ માનવું
જોઈએ અને તેથી તેને પણ ખરવિષાણુની જેમ શન્ય જ માનવું જાઈએ. અહીયાં પ્રશ્ન થાય કે ખંભાદિ બાહ્ય પદાર્થો દેખાય તે છે, તે તેને અદશ્ય કેમ કહી શકાય? આનું સમાધાન એ છે કે ખંભાદિ સમસ્ત પદાર્થો અખંડ તો દેખાતા નથી. તેના આપણે ત્રણ અવયવ કલ્પીએ પાછલા ભાગ, મધ્યભાગ અને આપણે સામેનો ભાગ તે તેમાં પાછલો અને મધ્ય ભાગ તે દેખાતા જ નથી તેથી તે અદશ્ય જ છે, અને જે સામેનો ભાગ દેખાય છે તે પણ સાવયવ છે, એટલે તેના અંતિમ અવયવ સુધી જઈએ તે તે પરમાણુ જ હોય છે. અને તે પણ અદશ્ય જ છે, કારણ કે તે સુક્ષ્મ છે. આ પ્રકારે ખંભાદિ પદાર્થનું વસ્તુતઃ દર્શન સંભવતું જ નથી. તેથી, તે બધા અનુપલબ્ધ હોવાથી ખરવિષાણની જેમ અસત્ જ છે. આથી સર્વશન્યતા સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે –
કાંઈ દશ્ય છે તેનો પર–પશ્ચાત ભાગ તો દેખાતો નથી. એટલે એ બધા પદાર્થો સ્વભાવથી અનભિલાપ્ય જ–અવાચ્ય જ છે.”
આ પ્રકારે તું યુક્તિથી વિચારે છે કે સંસારમાં સર્વે ભૂતોનું અસ્તિત્વ છે જ નહિ. અને વેદમાં પાછું ભૂતનું અસ્તિત્વ બતાવ્યું પણ છે. તેથી તેને સંશય થાય છે કે ભૂત વસ્તુતઃ છે કે નહિ! (૧૯૯૬)
વ્યકત–આપે મારે સંશય યથાર્થરૂપે વર્ણવ્યું. હવે કૃપા કરી તેનું નિવારણ કરે, ૧. “તત્રત્વચામgથમ વતનra |
तेन ते नाभिलाप्या हि भावाः सर्वे स्वभावतः॥" २. "लोके यावत् संज्ञा सामग्यामेव दृश्यते यस्मात् ।
तस्मान् न सन्ति भावा भावेऽसति नास्ति सामग्री ॥" ३. “यावद दृश्य परस्तावद् भागः स च न दृश्यते ।
तेन ते नाभिलाप्या हि भावाः सवे स्वभावतः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org