________________
બતાવ્યું છે કે, તેમને તેવી શુભાશુભ પદાર્થોનું જ્ઞાન થયું. એ જ્ઞાનને કારણે તેમણે સંયમ અને તપમાં પ્રવૃત્તિ કરી, તેથી નવા પાપકર્મથી નિવૃત્ત થયા, બાંધેલ કર્મને નાશ કરવા સમર્થ થયા અને અશરીર બન્યા. અશરીર બનીને અવ્યાબાધ મોક્ષસુખને પામ્યા. ૧
શ્રમણદીક્ષામાં પ્રથમ જે ચારિત્ર લેવામાં આવે છે, તે પણ સામાયિક ચારિત્ર છે. ખરી રીતે એ જ ચારિત્ર જ્યારે પરિપૂર્ણ બને છે, ત્યારે તે યથાખ્યાત-સ પૂર્ણ ચરિત્ર કહેવાય છે અને તે જ માક્ષનું સાક્ષાત કારણ બને છે. આ રીતે જ્ઞાન અને ચારિત્ર બનેમાં સામાયિક ની જ મુખ્યત છે. એટલે આચાર્ય જિનભદ્ર માત્ર એ નિયુક્તિસહિત સામાયિકાધ્યયનની વિશેષરૂપે વ્યાખ્યા કરવાનું ઉચિત માન્યું અને વિશેષાવશ્યક ભાષ્ય નામે એક મહાન ગ્રંથની રચના કરી.
વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાનો પ્રસંગ
આવશ્યક નિયુક્તિમાં સામાયિક અધ્યનની વ્યાખ્યા પ્રસંગે ઉદ્દઘાતરૂ૫ આચાર્ય ભદ્રબાહુએ કેટલાક પ્રશ્નોનું સમાધાન કર્યુ છે. તેમાં સામાયિકને નિર્ગમન અર્થાત્ સામાયિકના આવિર્ભાવને પ્રશ્ન ઉઠાવ્યો છે અને તે કેવી પરિસ્થિતિમાં કેનાથી કયારે અને કયાં આવિર્ભત થયું છે ઇત્યાદિ પ્રશ્નોનું સમાધાન કર્યું છે. તે પ્રસંગે તેમણે ભગવાન મહાવીરને ૧૦વ પૂર્વભવમાં અટવીમાં ભૂલા પડેલા સાધુઓને માર્ગ બતાવવાથી ક્રમે કેવી રીતે મિથ્યાત્વમાંથી બહાર નીકળીને સમ્યકત્વને પામ્યો તે બતાવ્યું છે. અને ઉત્તરોત્તર કષાયોનો ક્ષય કરીને ભગવાન મહાવીર જે પ્રકારે સર્વજ્ઞ થયા તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને છેવટે જણાવ્યું છે કે, જ્યારે હાર્થિક જ્ઞાન નષ્ટ થઈને અનંત એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે વિહાર કરીને રાત્રે તેઓ મહસેન વનમાં પહોંચ્યા.૫ એટલે મધ્યમાપવામાં એ મહસેન વનમાં દેવોએ ધમચક્રવતી ભગવાન મહાવીરના દિતીય સમવસરણની-મહાસભાની રચન કરી. એ જ નગરીમાં બ્રાહ્મણ સમિલાયે યજ્ઞ માંડયો હતો તેથી દૂર દૂરના મહાપંડિતે તેમાં ભાગ લેવા આવ્યા હતા. એ યજ્ઞમંડપની ઉત્તરે દેવે ભગવાનના સમવસરણમાં ઉત્સવ મનાવી રહ્યા હતા એટલે યજ્ઞમાં ઉપસ્થિત કાને એમ લાગ્યું કે, અમારા યજ્ઞાનુષ્ઠાનથી સંતુષ્ટ થઈને દેવ સ્વયં યજ્ઞવાટિકામાં આવી રહ્યા છે. પણ જ્યારે તેમણે જોયું કે, તે દેવ યજ્ઞ નાટિકા તરફ આવવાને બદલે બીજે જ કયાંય ઉત્તર તરફ જઈ રહ્યા છે, ત્યારે તેમને આશ્ચર્યને પાર રહ્યો નહિ. લોકોએ પણ ખબર આપ્યા કે સર્વજ્ઞ ભગવાન મહાવીરને મહિમાં સ્વયં દેવ આવીને વધારી રહ્યા છે. ત્યારે અભિમાની પંડિત ઇન્દ્રભૂતિને થયું કે, મારા સિવાય વળી બીજે કે સર્વજ્ઞ હેઈ શકે ? એટલે તે સ્વયં ભગવાનના સમવસરણમાં હાજર થઈ ગયે. તેને આવેલે જાણીને ભગવાન મહાવીરે તેને નામ અને ગોત્રથી બોલાવ્યા અને તેને મનમાં જીવનું અસ્તિત્વ વિશેને જે તે દેહ તે તેને કહી બતાવ્યું. અને તેણે કહ્યું કે વિસ્તુતઃ તું વેદપંદનો અર્થ જાણતા નથી તેથી જ તેને આવી શંકા થઈ છે. હું તને
૧. આવ. નિ. ૭૪૫-૭૪૮. ૨. આવ. નિ. ૧૪૦-૧૪૧, ૧૪૫ ૩. વિશેષા. ભાષ્યમાં “મિચ્છarહુતમા” ઇત્યાદિ ગાથાને ભાષ્યની ગણી છે. આવશ્યક હારિભદ્રીયમાં પણ તે ગાથાની વ્યાખ્યા નથી, પણ વિશે. ના સંપાદક ત ગાથાને નિયંતિની ગણી છે. જુઓ પાછળ છાપેલ મૂળ. ૪. આવ. નિ. ૧૪૬-ચ દિર સિત્ત” ૫. આ. નિ. પ૩૯ ૬, આવ, નિ, ૫૪૦, ૭, આવ. નિ. ૫૪૧-૪૨, ૧૯૨ ૮. આવ. નિ. ૫૯૧ ૯, આવ. નિ. ૫૯૮ ૧૦. આવ. પ૯૮.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org