________________
સામાન્ય સંસ્કૃત જાણનાર, પણ દર્શનને નહિ જાણનાર વાચક ગુજરાતી વાંચીને પછી સંસ્કૃત સામે રાખે તો સરળતાથી તેને મૂળ સંસ્કૃત ગ્રન્થમાં પ્રવેશ થઈ જાય એ ધ્યેય હોવાથી મૂળ સંસ્કૃતની કઈ પણ અવશ્યક વસ્તુ છેડી નથી અને ક્રમ પણ મૂળને જ રાખે છે. વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા ભાષાની સરળતા તરફ ધ્યાન આપ્યું છે, પણ મારા તરફથી તેમાં નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી તેમ કરવા જતાં એ સ્વતંત્ર ગ્રન્થ બની જાત; ભાષાંતર કે રૂપાંતર ન રહેત. જ્યાં નવી વસ્તુ કહેવાની હતી તે મેં પાછળ ટિપણમાં કહેવાનું ઉચિત માન્યું છે.
આવશ્યક સૂત્ર અને તેનું પ્રથમ અધ્યયન
સમગ્ર જૈન આગમ સાહિત્યમાં આ એક જ એવો ગ્રન્થ છે જેને પ્રચાર જ્યારથી તેની રચના થઈ છે. ત્યારથી ઉત્તરોત્તર વધારે ને વધારે થતો રહ્યો છે. આજે પણ એ સૂત્ર વિષયક જેટલું સાહિત્ય પ્રકાશિત થાય છે, તેટલું કેઈપણું સૂત્ર વિષે થતું નથી કારણ એ છે કે, તે શ્રમણ અને શ્રાવકની પ્રતિદિન કર્તવ્ય આવશ્યક ક્રિયાનું નિરૂપણ કરે છે અને તેથી પ્રત્યેક શ્રમણ અને શ્રાવકને તેની પ્રતિદિન આવશ્યકતા પડે છે. એ ગ્રન્થને વિષય ધાર્મિક પુરુષોના જીવનમાં વણાઈને તેમને જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આમ હોવાથી એ ગ્રન્થની ટીકાપટીકાએ ઉપરાંત તેના એકેક વિષયને લઈને અનેક
સ્વતંત્ર ગ્રન્થની રચના કરવામાં આવી છે. અને એ પ્રથે પણ ટીકા ટીકાઓથી અલંકૃત કરવામાં આવ્યા છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તે એ ગ્રન્થની પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓથી માંડી આધુનિક ગુજરાતી હિન્દી ભાષામાં શતાબ્દીવાર સાહિત્ય ઉપલબ્ધ થાય છે. જેને આ ગમે વ કરવુ માં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે અંગબાહ્યના એક વર્ગમાં આવશ્યકસૂત્ર અને બીજા વર્ગમાં આવશ્યકતર સૂત્રને મૂકવાની પદ્ધતિથી પણ આવશ્યકસૂત્રની મહત્તા સુચિત થાય છે.
આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન સામાયિક વિષે છે. આચાર્ય ભદ્રબાહુના મત પ્રમાણે એ સામાયિક જ સમગ્ર શ્રુતજ્ઞાનની આદિમાં છે. શ્રુતજ્ઞાનને કોઈ સાર હોય તો તે ચારિત્ર છે, અને ચારિત્રને સાર નિર્વાણ છે. આ પ્રમાણે આવશ્યકનું પ્રથમ અધ્યયન જે સામાયિક વિષે ચર્ચા કરે છે તેને સીધે સંબંધ મેક્ષ સાથે છે. આગમમાં જ્યાં ભગવાન મહાવીરને શ્રમદાના શ્રુતજ્ઞાનના અધ્યયનની વાત આવે છે. ત્યાં સર્વત્ર તેમના અધ્યયનમાં સામાયિકને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને ત્યારપછી જ બીજા અંગગ્રન્થને સ્થાન છે. આ પ્રમાણે જ્ઞાનની દૃષ્ટિએ જ નહિ, પણ આચારની દૃષ્ટિએ પણ સામાયિકને જ સર્વ પ્રથમ સ્થાન છે.
આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર તે ભગવાનને કેવલજ્ઞાન થયા પછી તેમણે પ્રથમ અર્થતઃ ઉપદેશ સામાયિકને આપ્યા હતા. અર્થાત તેમના પ્રથમ ઉપદેશમાં સામાયિકને અર્થ સમાવિષ્ટ હો, એટલું જ નહિ, પણ ગણધરોએ પણ વાદ થયા પછી પ્રથમ ઉપદેશ સામાયિકને જ લીધે હતા, એ પણ આચાર્યે કહ્યું છે. સામાયિકને ઉપદેશ લેવાથી ગણધરોને શો લાભ થયે એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય - ૧. નંદી સૂત્ર સૂ૦ ૪૩ ૨. “સામારૂચમાાં ગુયાનું જ્ઞાવ દિવ્યરા | સ વિ સારો વર સારો રજ:સ નિવામાં ” સાવ નિ૦ રૂ . ૩. ભગવતી ૨. ૧. ૪. આવ૦ નિ ૭૩૩-૭૩૫, ૭૪૨-૭૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org