SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુભૂતિ] જીવ-શરીર [૫૫ દેવદત્તનુ મન બીજે હાય તા નથી થતું. તેથી ઉપલબ્ધિકતા જેમ ગેાખ નહિ પણ ગેાખથી ભિન્ન દેવદત્ત છે તે જ પ્રકારેઇન્દ્રિચેાથી ભિન્ન એવા આત્મા ઉપલબ્ધિક છે, ઇન્દ્રિયા તા તેનાં ઉપકરણા છે. નહિ તેા અન્ય-બધિરને જોયેલ કે સાંભળેલ વસ્તુનુ' કદી સ્મરણ જ ન થાય, (૧૯૫૮) વળી અન્ય પણ અનુમાન આપી શકાય છે-ઇન્દ્રિયેાથી આત્મા ભિન્ન છે, કારણુ કે એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ કરેલ વસ્તુને બીજી ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે. અર્થાત્ ચક્ષુઇન્દ્રિયથી ઘડાને જોઈ ને તેનુ ગ્રહણ હાથ વડે-સ્પર્શ નેન્દ્રિય વડે કરે છે. જેમ એક બારીથી જોચેલા ઘટને દેવદત્ત ખીજી ખારીથી ગ્રહણ કરે છે તેથી દેવદત્ત અને મારીએથી જુદો છે, તે જ પ્રકારે આત્મા પણ ઇન્દ્રિયાથી જુદા છે. વળી વસ્તુ એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ થાય છતાં વિકાર બીજી ઇન્દ્રિયમાં થાય છે; આથી પણ માનવું જોઈએ કે આત્મા ઇન્દ્રિચાથી બિન છે. એ તે આપણા અનુભવની વાત છે કે આંખ વડે આપણે ખાટી વસ્તુ જોઈ એ છીએ અને વિકાર જિલ્લામાં થાય છે, તેમાં પાણી છૂટે છે; માટે પણ ઇન્દ્રિયાથી આત્માને ભિન્ન માનવા જોઈ એ. (૧૬૫૯) સ્મરણ વળી, જીવ એ ઇન્દ્રિયાથી ભિન્ન છે, કારણ કે બધી ઇન્દ્રિચેા દ્વારા ગૃહીત અ'નુ' તે કરી શકે છે. જેમ પેાતાની ઇચ્છાથી રૂપ આદિ એક એક ગુણને જાણનાર પાંચ પુરુષા કરતાં એ પાંચેના રૂપાદિ જ્ઞાનને જાણનાર પુરુષ ભિન્ન છે, તેમ પાંચ ઇન્દ્રિયાથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર પાંચે ઇન્દ્રિયાથી ભિન્ન હાવે। જોઈએ, અને તે આત્મા છે. વાયુભૂતિ આપે પાંચ પુરુષા રૂપાદિને ગ્રહણ કરે છે એવુ દૃષ્ટાંત આપ્યુ છે તેથી તા પાંચ ઇન્દ્રિયા પણ રૂપાદિને ગ્રહણ કરે છે એવુ સિદ્ધ થશે; પણ એ વસ્તુ તે આપને અનિષ્ટ છે, કારણ આપઇન્દ્રિયાને ગ્રહણકર્તા નહિ, પણ ગ્રહણમાં સાધનરૂપ માના છે. ભગવાન—મે દૃષ્ટાંતમાં વિશેષણ આપ્યુ છે તે ધ્યાન ખહાર ગયુ` તેથી જ તને આવી શંકા થઇ. મેં કહ્યું છે કે પાંચ પુરુષ પાતાની ઈચ્છાથી ઇન્દ્રિયાગ્રાહક નથી. રૂપાદિને જાણે છે. ઇન્દ્રિચામાં તા ઇચ્છા સાઁભવતી નથી તેથી ઇન્દ્રિયા ગ્રાહક થઈ શકે નહિ. ઇન્દ્રિયા ઉપલબ્ધિમાં સહકારી હોવાથી જે ઉપચારથી તુ' ઇન્દ્રિયેાને ગ્રાહક કહેતા હા તેા તેમાં કાંઈ દોષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy