________________
પ૬] ગણધરવાદ
[ગણતર વળી મેં તને યુક્તિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આત્મા જેવા અતીન્દ્રિય
પદાર્થોને નિર્ણય માત્ર યુક્તિથી થઈ શકતો નથી, તેથી તેમાં અતીન્દ્રિય વસ્તુની યુક્તિનો એકાત આગ્રહ નિરર્થક છે. કહ્યું પણ છે કે “અતીન્દ્રિય સિદ્ધિમાં પ્રમાણ અથેના સદુભાવને સિદ્ધ કરનાર આગમ અને ઉપપત્તિ એ બન્ને
પૂર્ણરૂપે પ્રમાણ છે.' (૧૯૬૦)
ભૂતાતિરિક્ત આત્માને સિદ્ધ કરવા એક અન્ય પણ અનુમાન આ પ્રમાણે છે :
બાલજ્ઞાન જ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ, તે જ્ઞાન છે. જે જે જ્ઞાન હોય છે તે ભૂતભિન્ન આત્માનું જ્ઞાનાન્તરપૂર્વક હોય છે, જેમ યુવકનું જ્ઞાન. બાલજ્ઞાન પણ અન્ય સાધક અનુમાન જ્ઞાનપૂર્વક જ હોવું જોઈએ.તે જે જ્ઞાનપૂર્વક છે અર્થાત બાલકના જ્ઞાનની
પહેલાં જે જ્ઞાન છે તે શરીરથી તો ભિન્ન જ હોવું જોઈએ, કારણ કે પૂર્વભવીય શરીરને ત્યા છતાં આ ભવમાં તે જ્ઞાન બાલકના જ્ઞાનમાં કારણ બને છે. વળી, તે જ્ઞાન ગુણ હોવાથી નિરાધાર તે રહી શકે નહિ; તેને કઈ ગુણ હોવો જોઈએ. વ્યક્ત શરીર ગુણ સંભવે નહિ, માટે આત્માને જ તે જ્ઞાનના ગુણ તરીકે સ્વીકારો જોઈએ. આથી શરીર જ આત્મા છે એમ માની શકાય નહિ, પણ આત્માને શરીરથી ભિન્ન જ માન જોઈએ.
વાયુભૂતિ–ઉક્ત અનુમાનમાં આપે “કારણ કે તે જ્ઞાન છે' એ હેતુ આપે છે; પ્રતિજ્ઞામાં પણ બાલજ્ઞાન શબ્દમાં જ્ઞાન છે; તેથી હેતુ એ પ્રતિજ્ઞાત પદાર્થને એકદેશ હવાથી અસિદ્ધ જ માનવે પડશે, કારણ કે પ્રતિજ્ઞાત પદાર્થ અવયં અસિદ્ધ હોય છે.
ભગવાન-જ્ઞાનસામાન્યને હેતુરૂપે કહ્યું છે અને જ્ઞાનવિશેષને પ્રતિજ્ઞામાં સ્થાન આપ્યું છે તેથી ઉક્ત હેતુદેષ સંભવ નથી. વર્ણાત્મક શબ્દ અનિત્ય છે, કારણ કે તે શબ્દ છે, મેઘના શબ્દની જેમ. આ અનુમાનમાં જેમ શબદ સામાન્ય હેતુ બનાવીને શબ્દવિશેષને પ્રતિજ્ઞામાં સ્થાન આપ્યું છતાં હેતુ અસિદ્ધ નથી, તેમ પ્રસ્તુતમાં પણ બાલવિજ્ઞાનરૂપ વિશેષજ્ઞાનને નિર્દેશ પ્રતિજ્ઞા માં છે અને જ્ઞાનસામાન્યનો નિર્દેશ હેતુરૂપે છે, તેથી હેતુને અસિદ્ધ કહી શકાય નહિ. સામાન્ય સિદ્ધ હોય છતાં વિશેષ અસિદ્ધ હોય તો તે સામાન્યના બળે વિશેષને પણ સિદ્ધ કરી શકાય છે. શબ્દ અનિત્ય છે, કારણ કે તે શબ્દ છે. આ પ્રકારના અનુમાનમાં પ્રતિજ્ઞાન્તર્ગત શબ્દ અને હેતુરૂપ શબ્દ બને સામાન્ય શબ્દ છે,
१ "आगमश्चोपपत्तिश्च सण दृष्टिकारणम् ।
अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org