SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪] ગણધરવાદ , [ગણુધરે ધર્મ કહેનારનું પ્રત્યક્ષ પણ ભૂતોથી ભિન એવા આત્માને સિદ્ધ કરનાર અનુમાનથી બાધિત થઈ જાય છે. વળી સમુદાયમાં ચૈતન્ય જોઈને તું જે એમ કહે છે કે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય છે તે તારું કથન પ્રત્યક્ષ વિરુદ્ધ થાય છે, કારણ કે પ્રત્યેકમાં ચૈતન્ય દેખાતું નથી. (૧૬૫૬) વાયુભૂતિ-ક્રયા અનુમાનથી આ૫ આત્માને ભૂતથી ભિન્ન સિદ્ધ કરે છે? ભગવાન–ભૂત કે ઈન્દ્રિયેથી ભિન્ન એવા કઈ પદાર્થનો ધર્મ ચેતના છે, કારણ કે ભૂત કે ઈદ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે; જેમ ભૂતભિન્ન આત્માનું પાંચ ગવાક્ષ–ગોખથી ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થતું હોવાથી સાધક અનુમાન ગવાક્ષેથી ભિન્ન એવા દેવદત્તને ધર્મ ચેતના છે તેમ. તાત્પર્ય એ છે કે જેમ પાંચે ગોખથી વારાફરતી દેખતો એવો દેવદત્ત એક જ છે અને તે ગોખથી ભિન્ન છે, કારણ કે પાંચે ગોખ દ્વારા જોયેલ વસ્તુનું સ્મરણ કરે છે, તેવી જ રીતે પાંચે ઇન્દ્રિ દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કરનાર પણ ઈન્દ્રિયોથી ભિન્ન એ એક પદાર્થ કે હવે જોઈએ. અને તે જ આત્મા છે, જે ભૂતે કે ઈન્દ્રિયોથી ભિન્ન છે. જે ભૂતસમુદાયથી ભિનન ન હોય અર્થાત ભૂતેથી અભિન્ન હોય તે એક છતાં અનેક દ્વારા ઉપલબ્ધ અર્થનું સમરણ પણ કરી શકે નહિ; જેમ કેઈ એક શબ્દદિને ગ્રહણ કરનાર માનસિક જ્ઞાનવિશેષ. એ જ્ઞાનવિશેષ પિતાના વિષયને ગ્રહણ કરે છે પણ અન્ય વિષયને સ્મરી શકતું નથી છતાં પણ જે એ સ્મરણકર્તાને દેહ કે ઇન્દ્રિયોથી અભિન્ન માને તો પાંચ ગોખ દ્વારા જોઈને તે બધાનું સ્મરણ કરનાર દેવદત્તને પણ ગોખથી અભિન માનવું જોઈએ. (૧૬૫૭) વાયુભૂતિ-ઈદ્રિ દ્વારા નહિ પણ ઈન્દ્રિયે જ પોતે ઉપલબ્ધિની કર્તા છે તેથી ઇન્દ્રિથી ભિન્ન એવા એક આત્માને માનવાની આવશ્યકતા નથી. ભગવાન–ઈન્દ્રિયવ્યાપાર બંધ છતાં અથવા ઈદ્રિયોનો નાશ થઈ જાય છતાં ઈન્દ્રિો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે અને ઇન્દ્રિયોનો વ્યાપાર છતાં અન્ય મનસ્કને વસ્તુની ઉપલબ્ધિ કદાચિત થતી પણ નથી, માટે માનવું દ્ધ આત્માનથી જોઈએ કે ઘટાદિ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયોને નહિ પણ તેથી ભિન એવા બીજા કોઈ પદાર્થને થાય છે; જેમ પાંચ ગવાક્ષ દ્વારા જેનાર દેવદત્ત એ પાંચે ગવાક્ષાથી ભિન્ન છે. ગોખલે નષ્ટ થઈ જાય છતાં દેવદત્ત તે દ્વારા જેલ વસ્તુને સ્મરી શકે છે અને ગોખ ઉપસ્થિત છતાં તે દ્વારા વસ્તુનું પરિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy