________________
પિ૩
વાયભૂતિ
જીવ-શરીર માટે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્યશક્તિ માનવી જ જોઈએ. પૃથફ કઈ ચેતન માનવાની જરૂર નથી.
ભગવાન-માત્ર ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન થાય છે એવું તારું કથન અસિદ્ધ છે, કારણકે તે સમુદાયમાં માત્ર ભૂતે જ નથી કિંતુ આત્મા પણ છે; તેથી જ ભૂતોના સમુદાયમાં ચૈતન્ય પ્રકટ થાય છે, કારણ કે તે સમુદાયાન્તર્ગત આત્માને એ ધર્મ છે. તું જેને ભૂતસમુદાય કહે છે તેમાં જે આત્મા અન્તર્ગત ન હોય તો ચૈતન્ય કદી જ પ્રગટે નહિ. માત્ર ભૂતના સમુદાયથી ચૈતન્ય પ્રકટ થતું હોય તે મૃત શરીરમાં પણ તે ઉપલબ્ધ થવું જોઈએ; પણ તેમાં તે ચૈતન્યને અભાવ સ્પષ્ટ સિદ્ધ છે; માટે ચૈતન્યને ભૂતમાત્રથી ઉત્પન્ન માની શકાય નહિ.
વાયુભૂતિ–મૃત શરીરમાં વાયુ ન હોવાથી તે બધાં ભૂતોનો સમુદાઢ નથી, તેથી જ તેમાં ચૈતન્યનો અભાવ છે.
ભગવાન–મૃત શરીરમાં વાયુને નળી વાટે દાખલ કરવામાં આવે તો પણ તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી.
વાયુભૂતિ–અગ્નિને પણ મૃત શરીરમાં અભાવ છે, તેથી ચૈતન્ય ઉપલબ્ધ કેવી રીતે થાય ?
ભગવાન-મૃત શરીરમાં અગ્નિની પૂર્તિ કરવામાં આવે તો પણ ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી.
વાયુભૂતિ–વિશિષ્ટ પ્રકારના વાયુ અને અગ્નિનો અભાવ મૃત શરીરમાં છે, તેથી ચૈિતન્ય ઉપલબ્ધ નથી થતું.
ભગવાન–એ વશિષ્ટય બીજું કાંઈ નથી પણ આત્મસહિત વાયુ અને અગ્નિ હોય તો તે વિશિષ્ટ વાયુ અને વિશિષ્ટ અગ્નિ કહેવાય છે. આ પ્રકારે તેનામાન્તરે આત્માનું જ પ્રતિપાદન કર્યું કહેવાય. ૧૬૫૫)
વાયુભૂતિ–ભૂતસમુદાયમાં ચૈતન્ય સાક્ષાત દેખાય છે છતાં આપ કહો છો કે તે ભૂતસમુદાયનો ધર્મ નથી–આ આપનું કથન પ્રત્યક્ષ વિરુદ્ધ છે; જેમ ઘટમાં રૂપાદિ ગુણે પ્રત્યક્ષ થાય છે છતાં કોઈ કહે કે રૂપાદિ ગુણે ઘટતા નથી તે તેનું તે કથન પ્રત્યક્ષવિરુદ્ધ છે.
ભગવાન–ગતમ! પ્રત્યક્ષ વિરોધ નથી, કારણ કે તે પ્રત્યક્ષનું બાધક આત્મસાધક અનુમાન વિદ્યમાન છે. જેમ પાણી અને ભૂમિના સમુદાયમાત્રથી લીલું ઘાસ ઊગતું જઈને કઈ કહે કે આ ઘાસ પૃથ્વી અને પાણીના સમુદાય માત્રથી જ થાય છે તે તેનું એ પ્રત્યક્ષ બીજસાધક અનુમાનથી બાધિત થાય છે, તે જ પ્રમાણે ચૈતન્યને ભૂતમાત્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org