________________
પ૨] ગણધરવાદ
ગિણધરે વાયુભૂતિ–આપે એ નિયમ કહ્યો કે જે પ્રત્યેકાવસ્થામાં અનુપલબ્ધ હોય તે સમુદાયાવસ્થામાં પણ અનુપલબ્ધ હોય. પણ આ નિયમ તે વ્યભિચારી છે, કારણ કે મધનાં અંગોમાં પ્રત્યેકાવસ્થામાં મદ ઉપલબ્ધ નથી થતો છતાં સમુદાયાવસ્થામાં મદની ઉત્પત્તિ થાય છે, તે જ પ્રમાણે પ્રત્યેક ભૂતમાં ભલે ચૈતન્ય અનુપલબ્ધ હોય છતાં તે ભૂતસમુદાયથી ઉત્પન્ન થઈ જશે. ભૂતથી અતિરિકત કારણ માનવાની આવશ્યક્તા નથી. ભગવાન-તારુ એ કહેવું અયુક્ત છે કે મધનાં અંગોમાં પ્રત્યકાવસ્થામાં મદ
અનુપલબ્ધ છે. વસ્તુતઃ ધાવડીનું ફૂલ, ગોળ વગેરે મઘના પ્રત્યેક પ્રત્યેકમાં ન હોય તે અંગમાં મદની થેડી ઘણુ માત્રા છે જ; તેથી સમુદાયમાં પણ તે સમુદાયમાં ન હોય ઉત્પન્ન થાય છે. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ તે
સંભવે નહિ. (૧૬પ૨). વાયુભૂતિ–ભૂતેમાં પણ માંગોની જેમ પ્રત્યેકમાં પણ ચૈતન્યમાત્રા છે જ, એટલે તે સમુદાયમાં પણ ઉત્પન થાય છે એમ જે માનીએ તો?
ભગવાન–એમ માની શકાય, કારણ કે મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ દેખાય છે, જેમકે ધાવડીના ફૂલમાં ચિત્તભ્રમ કરવાની, ગોળ-દ્રાક્ષ-ઈશુરસાદિમાં તૃપ્ત કરવાની,
અને પાણીમાં તરસ છિપાવવાની શક્તિ છે; તેમ જે પ્રત્યેક ભૂતમાં પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય શક્તિ હોય તે જ સમુદાયમાં પણ સંભવે. પણ પ્રત્યેક ગૌતન્ય નથી ભૂતમાં તો તેવી કોઈ શક્તિ માંગોની જેમ પ્રત્યક્ષ થતી નથી, માટે
ભૂત સમુદાયમાત્રથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ ન કહી શકાય. (૧૫૫૩) વાયુભૂતિ–મધનાં અંગોમાં પણ પ્રત્યેક મદશકિત જે ન માનીએ તો શો દેષ છે?
ભગવાન–જે ભૂતોમાં ચૈતન્યની જેમ મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન જ હોય તો પછી મદનાં ધાવડીનાં ફૂલ વગેરે જ કારણ છે અને અન્ય નહિ એ કારણને નિયમ ન બને અને તેમના જ સમુદાયથી મદ ઉત્પન્ન થાય, અન્યન સમુદાયથી મદ ઉત્પન્ન ન થાય, એ સમુદાયને પણ નિયમ ન બને; ગમે તે રાખ, પથ્થર, છાણ વગેરે ચીજે મદનું કારણ બની જાય અને ગમે તે ચીજોના સમુદાયથી મદ ઉત્પન થઈ જ જોઈએ. પણ આવું બનતું તો નથી; માટે મધના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ તો માનવી જ જોઈએ. (૧૬૫૪)
વાયુભૂતિ-જેમ મઘાંગના સમુદાયમાં મદને આવિર્ભાવ હોવાથી તે સમુદાયના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ માનવી જ પડે છે, નહિ તો તેમના સમુદાયમાં પણ મદને આવિર્ભાવ ન થાય, તેમ માત્ર ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org