________________
પ૬
વાયુભૂતિ
જીવ-શરીર પ્રત્યેક ભૂતમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી છતાં જ્યારે તેમને સમુદાય થાય છે ત્યારે ચિતન્ય સમુદ્ભૂત થતું પ્રત્યક્ષ થાય છે. (૧૬૫૦)
વળી, જેમ મદન પૃથફ પૃથફ અવયમાં મદ-શક્તિ અદષ્ટ છતાં તેમને સમુદાય થવાથી તે ઉત્પન્ન થાય છે અને અમુક સમય ટકીને કાલાન્તરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થતાં વિનષ્ટ પણ થઈ જાય છે, તે જ પ્રકારે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય અદષ્ટ છતાં તેમને સમુદાય થવાથી ચતન્ય ઉત્પન્ન થાય છે અને અમુક સમય સ્થિર રહીને કાલા-તરમાં વિનાશની સામગ્રી ઉત્પન્ન થતાં ચતન્ય પણ નષ્ટ થઈ જાય છે. આથી એમ સિદ્ધ થાય છે કે ચૈતન્ય એ ભૂતોને ધર્મ છે.
ધર્મ અને ધમને તે અભેદ છે, કારણ કે ભેદ માનીએ તો ઘટ-પટની જેમ ધર્મ-ધમિભાવ સંભવતો નથી, તેથી ભૂતસમુદાયરૂપ શરીરને ધર્મ જે ચિંતન્ય-જીવ હોય તે શરીર એ જ જીવ છે એવી તારી માન્યતા બંધાય છે; પણ વેદના “૧૨ હૈ સારીરસ્ય” ઈત્યાદિ વાક્યથી એ ફલિત થાય છે કે જીવ શરીરથી ભિન્ન છે. એટલે તને સંશય છે કે જીવ શરીરછી ભિ-ન હશે કે અભિન્ન (૧૬પ૧)
વાયુભૂતિ–આપે મારે સંશય તે યથાર્થ બતાવી આપ્યો. હવે કૃપા કરીને તેનું નિરાકરણ કરો.
ભગવાન-તારે એ પ્રકારને સંશય અયુક્ત છે, કારણ કે ચિતન્ય ભૂતોના સમુ
દાયમાત્રથી ઉત્પન્ન થઈ શકતું નથી. તે સ્વતંત્ર છે, કારણ કે સંશયનું તે પ્રત્યેક ભૂતમાં નથી. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયથી પણ નિરાકરણ નથી ઉત્પન્ન થતું જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો રેતીના
સમુદાયમાંથી પણ તેલ નથી નીક તું. તે જ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય ન હોવાથી ભૂતસમુદાયથી પણ ચતન્ય સંભાવે નહિ. જે કંઈ સમદાયથી ઉત્પન્ન થતું તે પ્રત્યેકમાં સર્વથા અનુપલબ્ધ રહી શકે નહિ; જેમ તલના સમુદાયમાંથી તેલ નીકળે છે તે તે તલના પ્રત્યેક દાણામાં પણ ઉપલબ્ધ થાય છે. પણ ચેતના તે પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થતી નથી માટે ચેતનાને ભૂતસમુદાયથી ઉત્પન થયેલી માની શકાય નહિ. પણ અર્થોપત્તિથી એમ માનવું જોઈએ કે ભૂતસમુદાયથી ભિન્ન એવું કઈ કારણ તે સમુદાય સાથે જોડાયેલું છે જેને લઈ તે સમુદાય દ્વારા ચેતના આવિર્ભત થાય છે. એ જ કારણે દેહભિન્ન જીવ છે.
૧. જુએ ગાવ ૧૫૫૩, ૧૫૯૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org