________________
૪૨]
ગણધરેવાદ
[ગણધર પણ વસ્તુતઃ સંસારી જીવ એકાન્તરૂપે-સર્વથા અમૂર્ત નથી; તે મૂર્ત પણ છે. જેમ અગ્નિ અને લોઢાનો સંબંધ થવાથી લેતું અગ્નિરૂપ થઈ જાય છે તેમ સંસારી
જીવ અને કર્મને અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાને લીધે સંસારી આત્મા મૂર્ત જીવ પણ કર્મના પરિણામરૂપ બની જાય છે, તેથી તે રૂપે તે પણ છે મૂર્ત પણ છે. આ પ્રકારે મૂર્ત કર્મથી કથંચિત્ અભિન્ન સેવાને
કારણે જીવ પણ કથંચિત મૂર્ત જ છે. તેથી મૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મથી થતે ઉપકાર કે ઉપઘાત માનવામાં કઈ દોષ નથી.
- તે જે એમ કહ્યું હતું કે આકાશમાં મૂર્ત વડે ઉપકાર કે ઉપઘાત નથી થતું તે તારું કહેવું બરાબર છે, કારણ કે આકાશ અચેતન છે અને અમૂર્ત છે તેથી તેમાં મૂર્ત વડે ઉપકાર-ઉપઘાત ન થાય. પણ સંસારી આત્મા તે ચેતન છે અને મર્તામત છે તેથી તેના ઉપર મૂર્ત વડે ઉપકાર–ઉપઘાત માનવામાં કશી જ બાધા નથી. (૧૬૩૮)
અગ્નિભૂતિ–આપે કહ્યું કે જીવ સાથે અનાદિ કાળથી કમને સંબંધ છે તે કેવી રીતે ? ભગવાન ગૌતમ! દેહ અને કમને પરસ્પર કાર્યકારણભાવ છે, તેથી કમસંતતિ
અનાદિ છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ આ પ્રકારે જીવ-કર્મને અનાદિ બીજાંકુરની સંતતિ અનાદિ છે, તેમ દેહથી કર્મ અને કર્મથી દેહ સંબંધ થાય છે. આ પ્રમાણે દેહ અને કર્મની પરંપરા અનાદિ કાળથી
ચાલી આવે છે તેથી કમ સંતતિ અનાદિ માનવી જોઈએ. જેનો પણ પરસ્પર કાર્યકારણભાવ હોય છે તેનો સંતાન અનાદિ હોય છે. (૧૬૩૯)
અગ્નિભૂતિ–આપની યુક્તિથી તે કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એ હું સ્વીકારું છું; પણ વેદમાં કર્મને નિષેધ બતાવનારાં જે વાક્યો આવે છે તેને યાદ કરું છું ત્યારે પાછું મારું મન દોલાયમાન થઈ જાય છે કે વસ્તુતઃ કર્મ હશે કે નહિ! ભગવાન–જે વસ્તુતઃ વેદમાં કર્મને અભાવ જ પ્રતિપાઘ હોય તે પછી
“સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ એવી દિવાની સંગતિ જે વિધિ વેદમાં કરવામાં આવી છે તે નિરર્થક થઈ જાય. અગ્નિ
હેત્રનું અનુષ્ઠાન કરવાથી આત્મામાં એક અપૂર્વ-કમ ઉત્પન્ન થાય છે જેને આધારે જીવ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. જે એ કર્મ ઉત્પન્ન ન થતું હોય તે પછી જીવ શાથી સ્વર્ગે જાય? કારણ કે મૃત્યુ પછી શરીર તે છૂટી જ ગયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org