________________
અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
[૪૩ હોય છે, એટલે નિયામક કારણના અભાવે તે સ્વર્ગ કેવી રીતે જશે? માટે વેદમાં કર્મને અભાવ પ્રતિપાદ્ય છે એમ માની શકાય નહિ.
વળી લેકમાં પણ દાન આદિ કર્મનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ જે કર્મ ન હિય તે ઉક્ત પ્રકારે સંભવે નહિ; માટે કર્મને સદૂભાવ માનવે જ જોઈએ. (૧૪૪૦)
અગ્નિભૂતિ–ઈશ્વરાદિને જગદ્વૈચિત્ર્યના કર્તા માનીએ તે કર્મ માનવાની જરૂર નહિ રહે. ભગવાન– જે તું કર્મ ન માને અને માત્ર શુદ્ધ જીવ જ દેહાદિ ચિયનો
કર્તા છે એમ માને, અથવા ઈશ્વરથી આ બધું વિચિન્ય થઈ જાય ઈશ્વરાદિ એ છે, અગર અવ્યક્ત-પ્રધાન કાલ, નિયતિ, યદચ્છા-અકસમાત આદિથી કારણ નથી આ સંસારમાં વચિય ઉત્પન્ન થાય છે એમ માને છે તે તારી
માન્યતા અસંગત છે. ૧૬૪૧) અનભૂિતિ-શાથી અસંગત છે ?
ભગવાન–જે શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ કર્મ-સાધન નિરપેક્ષ હોય તે શરીરાદિને આરંભ ન કરી શકે, કારણ કે આવશ્યક ઉપકરણુ-સાધનને અભાવ છે; જેમ કુંભકાર દંડાદિ ઉપકરણના અભાવે ઘટાદિની ઉત્પત્તિ નથી કરી શકતો તેમ. શરીર આદિના આરંભમાં કર્મને છોડીને બીજું કઈ ઉપકરણ તો ઘટતું નથી, કારણ કે જીવ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જે તે અકર્મા હાય-કર્મ વિનાને હેાય તે શુકશેણિતને પણ ગ્રહણ કરી શકે નહિ અને તેના ગ્રહણ વિના દેહનિર્માણ સંભવે નહિ; એટલે માનવું પડે છે કે જીવ કર્મરૂપ ઉપકરણ દ્વારા જ દેહ નિર્માણ કરે છે.
અથવા બીજું અનુમાન આ પ્રમાણે આપી શકાય? –નિષ્કર્મ જીવ શરીરાદિને આરંભ કરી શકે નહિ, કારણ કે તે નિષ્ટ હોય છે. જે આકાશની જેમ નિષ્ટ હોય છે તે શરીરાદિનો આરંભ કરી શકે નહિ. કર્મ રહિત જીવ પણ ચેષ્ટા વિનાને છે તેથી તે શરીરનો આરંભ કરી શકે નહિ. આ જ પ્રકારે અમૂર્ત પણ-રૂપ હેતુથી પણ નિષ્કમ જીવ શરીરનો આરંભ ન કરી શકે એ સાધ્ય સિદ્ધ કરી શકાય છે. એ જ સાયની સિદ્ધિ માટે–નિષ્ક્રિયતા, સર્વગતતા, અશરીરિતા આદિ હેતુઓ પણ આપી શકાય છે. અર્થાત કર્મ માન્યા વિના છૂટકો નથી.
અગ્નિભૂતિ–શરીરવાળે ઈશ્વર દેહાદિ બધાં કાર્યોનો કર્તા છે એમ જ માનવું જોઈએ; કર્મની માન્યતા જરૂરી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org