________________
અગ્નિભૂતિ) કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
૪૧] અગ્નિભૂતિ–કાર્મા શરીરથી નહિ, પણ ધર્મ અને અધર્મથી નવા શરીરનું ગ્રહણ થાય છે, તેથી મૂર્ત કાર્માણ શરીર સંબંધ અમૂર્ત આત્મા સાથે માનવાની આવશ્યકતા જ નથી.
ભગવાન–આ બાબતમાં પૂછવાનું કે તે ધર્મ અને અધર્મ મૂર્ત છે કે અમૂર્ત અગ્નિભૂતિ-ધર્મ અને અધર્મ મૂર્ત છે.
ભગવાન...તો પછી ધર્મ-અધર્મને પણ અમૂર્ત આત્મા સાથે સંબંધ કેમ ઘટશે? કારણ કે તું તે કહે છે કે મૂર્તિને અમૂર્ત સાથે સંબંધ ન થાય. વળી તે મૂર્તા હોય તે તે જ તો કર્મ છે.
અગ્નિભૂતિ–તો પછી ધર્મ અને અધર્મને અમૂર્ત માનવા જોઈએ.
ભગવાન–તે પણ તે ધર્મ-અધર્મનો મૂર્ત એવા સ્કૂલ શરીર સાથે કેવી રીતે
સંબંધ થાય? કારણ કે તું માને છે કે મૂર્ત અને અમૂર્તને ધર્મ-અધર્મ એ સંબંધ નથી થતો. વળી જે ધર્મધર્મને શરીર સાથે સંબંધ જ કર્મ જ છે ન હોય તે તેને લઈને બાહ્ય શરીરમાં ચેષ્ટાદિ પણ કેવી રીતે
થાય ? એટલે જો તુ અમૂર્ત છતાં ધર્માધર્મને સંબંધ મૂતં શરીર સાથે માનતા હો તે તે જ પ્રકારે અમૂર્ત આત્માને મૂર્ત કર્મ સાથે પણ તારે સંબંધ સ્વીકાર જોઈ એ. (૧૬૩૬)
અગ્નિભૂતિ–જીવ અને કર્મનો સંબંધ એક અમૂર્ત અને બીજુ મૂર્ત છતાં, આકાશ અને અગ્નિની જેમ સંભવે છે એ તો સમજાયું, પણ જેમ આકાશ અને અગ્નિનો સંબંધ હોવા છતાં આકાશમાં અગ્નિથી કેઈ પણ પ્રકારનો અનુગ્રહ કે ઉપઘાત થઈ શકતું નથી, તે જે પ્રકારે અમૂર્ત આત્મામાં મૂર્ત કર્મ વડે ઉપકાર કે ઉપઘાત સંભવે નહિ, ભલેને તે બનેનો સંબંધ થયે હોય.
ભગવાન–મૂર્ત વસ્તુ અમૂર્ત ઉપર ઉપકાર કે ઉપઘાત-હાસ ન જ કરી શકે એવો નિયમ નથી, કારણ કે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનઆદિ અમૂર્ત છતાં મદિરા,
વિષ આદિ મૂર્ત વસ્તુથી તેને ઉપઘાત થાય ને અને ઘીદૂધ આદિ મૃતકર્મની અમૂર્ત પુષ્ટિકારક ભોજનથી તેને ઉપકાર થાય છે, તે જ પ્રકારે મૂર્ત કર્મ આત્મામાં અસર છે અમૂર્ત આમા ઉપર ઉપકાર કે ઉપઘાત કરી શકે છે. મેં આ બધી
ચર્ચા આત્મા અમૂર્ત હોય છતાં તેની સાથે મૂત કર્મને સંબંધ અને તસ્કૃત ઉપકાર-ઉપઘાત ઘટી શકે છે એ સિદ્ધ કરવા કરી છે. (૧૬૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org