________________
o]. ગણધરવાદ
[ગણધર કરતાં કામણ શરીર સૂકમતર છે અને તે આત્યંતર છે છતાં વાદળાંની જેમ બાહ્ય શરીરને જે તું વિચિત્ર માનતા હોય તો આત્યંતર કામણ શરીરને પણ વિચિત્ર તે માનવું જ જોઈએ. (૧૬૩૨).
અગ્નિભૂતિ–બાહ્ય પૂલ શરીર તો દેખાય છે તેથી તેનું વિચિત્ર્ય માનવામાં કશે જ વાંધો આવતો નથી, પણ કામણ શરીર તે સૂક્ષ્મ છે અને આત્યંતર પણ છે તેથી તે દેખાતું નથી, એટલે તેનું અસ્તિત્વ જ સિદ્ધ નથી ત્યાં તેના વેચિયની તે વાત જ શી ? આથી જે સ્કૂલ શરીરથી અતિરિક્ત એવા કાર્મણને ન જ માનવામાં આવે તો શે દેષ છે?
ભગવાન-મરણ વખતે આત્મા સ્કૂલ શરીરને તે સર્વથા છેડી દે છે. તારા
મતે તે સ્થૂલ શરીરથી જુદું કામણ શરીર તે કઈ છે નહિ, તેથી સ્થૂલ દેહથી કાર્પણ નવા શરીરને ગ્રહણ કરવાનું કાંઈ જ કારણ આત્મમાં રહેતું ન દેહ ભિન્ન છે હોવાથી જીવના સંસારનો અભાવ થઈ જશે અને બધા જ વિના
પ્રયત્ન મુક્ત થઈ જશે. કાર્મણ શરીરને જુદું ન માનવામાં આ દેષ છે.
વળી જે તું એમ કહે કે અશરીરી જીવ પણ સંસારમાં ભમી શકે છે, તો પછી તારે સંસાર નિષ્કારણ માનવે પડશે, અર્થાત સંસારનું કોઈ કારણ નથી એમ માનવું પડશે; એટલે મુક્ત જીવોને પણ ફરી ભવભ્રમણ પ્રાપ્ત થશે. તે પછી જ મોક્ષ માટે શા માટે પ્રયત્ન કરે? તેમને મોક્ષની આસ્થા જ નહિ રહે. કાશ્મણ શરીરને જુદું ન માનવામાં આ બધા દે છે, તેથી તેના નિવારણ માટે કાર્મણ શરીર સ્થલ શરીરથી જુદું માનવું જોઈએ (૧૬૩૩-૩૪)
અગ્નિભૂતિ–પણ મૂર્ત એવા કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ શી રીતે થાય? ભગવાન–હે સૌમ્ય ! ઘટ મૂર્ત છતાં જેમ તેને સંયોગસંબંધ અમૂર્ત આકાશ
સાથે થાય છે તેમ મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંગ થાય મૂર્ત કર્મનો અમૂર્ત છે. અથવા અંગુલિ એ મૂર્ત દ્રવ્ય છે, છતાં તેનો આકુંચન આદિ આત્મા સાથે સંબંધ અમૂત ક્રિયા સાથે સમવાયસંબંધ છે; તે જ પ્રમાણે જીવ અને
કર્મને પણ સંબંધ ઘટે છે. (૧૬૩૫) અથવા જીવ અને કર્મનો સંબંધ બીજી રીતે પણ સિદ્ધ થઈ શકે છે. સ્કૂલ શરીર મૂર્ત છતાં તેને આત્મા સાથે સંબંધ તે પ્રત્યક્ષ જ છે, તેથી ભવાન્તર પ્રતિ ગમન કરતા જીવમાં કાર્મણ શરીરનો સંબંધ પણ સિદ્ધ જ માન જોઈએ, અન્યથા નવા સ્કૂલ શરીરનું ગ્રહણ ન ઘટે ઈત્યાદિ પૂર્વોક્ત દેની આપત્તિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org