________________
અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
[૩૯ વિકારી હોવાથી કમ પોતે પણ પરિણામી છે. તેથી કર્મ પરિણમી છે એ હેતુ અસિદ્ધ નથી. (૧૬૨૮)
અગ્નિભૂતિ–આપે સુખદુઃખના હેતુરૂપે કર્મની સિદ્ધિ કરી અને સમાન સાધન છતાં જે ફળનૈચિય અનુભવાય છે તે કર્મ નૈચિત્ર્ય વિના ન સંભવે એ પણ કહ્યું,૧ પરંતુ વાદળાંમાં વિચિત્ર પ્રકારના વિકારો છતાં તેમનું કારણ કર્મબૈચિત્ર્ય નથી, તે જ પ્રમાણે સંસારી જીવના સુખદુઃખની તરતમતારૂપ વિચિત્રતા પણ કર્મની વિચિત્રતા વિના માનવામાં શે દેશ છે ? (૧૬૨૯) ભગવાન–સૌમ્ય! જે તું બાહ્ય ધોને વિચિત્ર માનતા હોય તો આન્તરિક
કર્મમાં એવી કઈ વિશેષતા છે જેને લઈને બને પુદ્ગલરૂપે સમાન કર્મ વિચિત્ર છે છતાં વાદળઆદિ બાહ્ય સ્કની વિચિત્રતા તું સિદ્ધ માને અને
કર્મની નહિ? ખરેખર તારે જીવ સાથે લાગેલા કર્મ પુદગલેને તો વિચિત્ર માનવા જ જોઈએ, કારણ કે બીજા બાહ્ય પગલે કરતાં આન્તરિક કર્મ પુદ્રગલમાં–તે જીવ વડે ગૃહીત થયેલા છે, એવી વિશેષતા એ છે જ, અને તેથી જ તે જીવગત વિચિત્ર એવા સુખદુઃખનું કારણ પણ બને છે. (૪૬૩૦)
વળી જે તું, જે બાહ્ય પુદ્ગલોને જીવે ગૃહીત નથી કર્યા તેને વિચિત્ર માનો હોય, તે જીવે ગૃહીત કરેલા કર્મ પુદ્ગલેને તો તારે વિશેષરૂપે વિચિત્ર માનવાં જ જોઈએ. જેમ કેઈના પણ પ્રત્યન વિના સ્વાભાવિક રીતે વાદળાં આદિ પુદ્ગલોમાં જે ઈન્દ્રધનુષઆદિરૂપે વિચિત્રતા હોય છે તેના કરતાં કઈ શિલ્પીએ ગોઠવેલ પુલમાં એક વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા છે. તે પ્રકારે જીવે ગૃહીત કરેલા કર્મ પુદ્ગલેમાં નાના પ્રકારે સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ પ્રકારની પરિણામ વિચિત્રતા કેમ ન હોય ? (૧૬૩૧)
અગ્નિભૂતિ–આ પ્રકારે જે વાદળાંના વિકારની જેમ કર્મ પુદ્ગલમાં પણ વિચિત્રતા આપ માને છે તો પછી મારો એક પ્રશ્ન છે કે એ વાદળાંની વિચિત્રતાની પેઠે આપણું શરીરમાં જ સ્વાભાવિક રીતે નાના પ્રકારનાં સુખ-દુઃખ ઉત્પન્ન કરનારી વિચિત્રતા શા માટે ન માનવી ? અને જે વાદળાંની જેમ શરીરમાં પણ સ્વાભાવિકરૂપે ઉક્ત વિચિત્રતા હોય તો પછી શરીરની વિચિત્રતાના કારણરૂપે કર્મની કલપનાની પણ શી જરૂર છે?
ભગવાન-તું ભૂલી જાય કે કમ એ પણ એક શરીર છે, એ તે મેં સમજાવ્યું જ છે, એથી વાદળાંની વિચિત્રતાની જેમ શરીર પણ જો વિચિત્ર હોય તો શરીરરૂપ કર્મ પણ તારે વિચિત્ર માનવું જ જોઈએ. ભેદ એટલે છે કે બાહ્ય ઔદારિક શરીર
૧. ગા૦ ૧૫૧૨-૧૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org