________________
અગ્નિભૂતિ] કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
૩૩] અગ્નિભૂતિ–પૂર્વોક્ત અનુમાનથી એટલું જ સિદ્ધ થાય છે કે બાલશરીર દેહાન્તર પૂર્વક છે; તેથી કાર્પણ શરીરને બદલે પૂર્વભવીય અતીત શરીરને જ બાલશરીરની પહેલાંનું શરીર અર્થાત તેનું કારણ માનવું જોઈએ. ભગવાન–પૂર્વભવના અતીત શરીરને બાલશરીરનું કારણ માની શકાય નહિ,
કારણ કે અતરાલ ગતિમાં તેને સદંતર અભાવ જ હોય છે. તેથી કામણ શરીરની બાલશરીર એ પૂર્વભવીય અતીત શરીરપૂર્વક સંભવે જ નહિ. સિદ્ધિ અત્તરાલ ગતિમાં પૂર્વભવીય શરીરને સદભાવ એટલા માટે નથી
કે મૃત્યુ થયા પછી જીવ જ્યાં નો જન્મ થવાનું હોય તે તરફ ગતિ કરતો હોય છે તે વખતે પૂર્વભવનું શરીર તે છૂટી ગયું હોય છે અને નવા શરીરનું ગ્રહણ હજી કર્યું નથી. આ પ્રકારે અત્તરાલ ગતિમાં તે ઔદારિક-સ્થૂળ શરીરથી તો સર્વથા રહિત છે, તેથી બાલશરીરને ઔદારિક એવા પૂર્વભવીય શરીરનું કાર્ય ન કહી શકાય એટલે જ તે પૂર્વભવના શરીર પૂર્વક છે એમ પણ ન કહી શકાય. જીવને જે કોઈ પણ શરીર ન હોય તો નિયત ગર્ભ દેશમાં તે જાય કેવી રીતે ? એટલે નિયતદેશમાં પ્રાપ્તિનું કારણભૂત અને નવા શરીરની રચનાનું કારણભૂત એવું કોઈ શરીર તે માનવું જ જોઈએ. ઉક્ત પ્રકારે તેવું કારણ ઔદારિક શરીર તે ઘટી શકતું નથી, તેથી કમરૂપ કામણ શરીરને જ બાલદેહના કારણરૂપે માનવું જોઈએ. જીવ પિતાના સ્વભાવથી નિયતદેશમાં પ્રાપ્ત થઈ જશે એ પક્ષ પણ બરાબર નથી. આ વિશે હું તને આગળ સમજાવીશ.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “મૃત્યુ પછી જીવ કામણ વેગથી આહાર કરે છે.” તેથી બાલશરીરને કાણશરીર-પૂર્વક માનવું જોઈએ. (૧૬૧૪). કર્મસાધક ત્રીજુ અનુમાન આ પ્રમાણે છે. દાનાદિ ક્રિયાનું કાંઈક ફળ હોવું
જ જોઈએ, કારણ કે તે સચેતન વ્યક્તિએ આચરેલી ક્રિયા છે, ચિતનની ક્રિયા સફળ કૃષિક્રિયાની જેમ. સચેતન પુરુષ કૃષિક્રિયા કરે છે તે તેનું ફલ હોવાથી કમરની સિદ્ધિ ધાન્યાદિ તેને પ્રાપ્ત થાય છે, તેમ દાનાદિ ક્રિયા પણ સચેતને
આચરેલી છે તેથી તેનું કાંઈક પણ ફળ તેને પ્રાપ્ત થવું જોઈએ. જે ફળ પ્રાપ્ત થાય છે તે કર્મ છે.
અગ્નિભૂતિ-પુરુષ કૃષિ કરે છે છતાં ઘણી વખતે તેને ધાન્યઆદિ ફળ નથી પણ મળતું, આથી આપને હેતુ વ્યભિચારી છે; તેથી એ નિયમ નથી બનાવી શકાતો કે સચેતને આરંભેલી ક્રિયાનું કોઈ ફળ અવશ્ય હોવું જોઈએ. ૧. “નાળ માદારે અનંતર ની ” સૂત્રકૃતાંગ નિ ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org