________________
[૨૯
ઇન્દ્રભૂતિ
જીવના અસ્તિત્વ વિશે ચર્ચા સામાન્ય-વિશેષાત્મક જ હોવો જોઈએ. પણ તે અમુક જ પ્રકારનો છે અને અમુક પ્રકારનો નથી જ એમ ન કહી શકાય, કારણ કે વસ્તુ પછી તે વાટ્યરૂપ હોય કે વાચક -શબ્દરૂપ હય, પણ સ્વ-પર પર્યાની દ્રષ્ટિએ તે વિશ્વરૂપ જ છે. આથી સામાન્ય વિવક્ષાએ “ઘટ’ શબ્દ સર્વાત્મક હોવાથી તે દ્રવ્ય, ગુણ, ક્રિયા આદિ સમસ્ત અર્થોનો વાચક છે, પણ વિશેષાપેક્ષાથી તે પ્રતિનિયતરૂપે હોવાથી વિશિષ્ટ આકારવાળા માટી આદિના પિંડનો જ વાચક બને છે. એ જ રીતે પ્રત્યેક શબદ વિશે કહી શકાય કે તે સામાન્ય વિવેક્ષાથી બધા અર્થોનો વાચક બની શકે, પણ વિશેષાપેક્ષાથી જે કઈ એક અર્થમાં તે રૂઢ હોય તેનો વાચક બને છે. (૧૬૦૨-૧૬૦૩)
આ પ્રકારે જ્યારે જરા-મરણથી મુક્ત એવા ભગવાને ઇન્દ્રભૂતિને સંશય દૂર કર્યો ત્યારે તેણે પોતાના પાંચ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. (૧૬૦૪).
આગળ કર્મ વગેરેની ચર્ચામાં આ ચર્ચા સાથે જે અંશમાં સામ્ય હોય તેને ત્યાં સંબંધ જોડીને તે ચર્ચા સમજી લેવી જોઈએ. તેમાં જે વિશેષતા છે તે વિશે હું આગળ કહીશ (એમ આચાર્ય જિનભદ્ર કહે છે). (૧૬૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org