________________
ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા
૧૩] પાદિથી દેશતઃ પ્રકાશિત થાય છે છતાં ઘટ પ્રકાશિત થઈ ગયો એમ કહેવાય છે, તેમ છદ્મસ્થનું પ્રત્યક્ષ એ ઘટાદિ પદાર્થોનું આંશિક પ્રત્યક્ષ છે છતાં ઘટનું પ્રત્યક્ષ થયું એવો વ્યવહાર થાય છે. તે જ પ્રમાણે આત્મા વિશે તને આંશિક પ્રત્યક્ષ છતાં કહી શકાય છે કે આત્મા તને પ્રત્યક્ષ થઈ ગયો છે. હું તો કેવલી છું તેથી મારું જ્ઞાન અપ્રતિહત અને અનન્ત હોવાથી મને તે આત્મા સંપૂર્ણ ભાવે પ્રત્યક્ષ છે. તારો સંશય અતીન્દ્રિય છતાં, અર્થાત તારા આત્મામાં રહેલ સંશય બાહ્ય ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છતાં, મેં જાણું લીધે એ બાબત જેમ તને પ્રતીતિસિદ્ધ છે, તેમ આ બાબત પણ માની લે કે મને આત્માને સંપૂર્ણ સાક્ષાત્કાર થયેલ છે. (૧૫૬૩)
ઈન્દ્રભૂતિ–મારા પિતાના દેહમાં આત્માનું મને આંશિક પ્રત્યક્ષ છે એ વાત સ્વીકારવામાં હવે મને વાંધો નથી, પણ બીજાના દેહમાં આત્મા છે તે હું કેવી રીતે જાણું ?
ભગવાન એ જ પ્રકારે અનુમાનથી બીજાના દેહમાં પણ વિજ્ઞાનમય આત્મા છે
તે તું જાણું લે. જેમકે બીજાના દેહમાં પણ વિજ્ઞાનમય જીવ છે, અન્ય દેહમાં કારણ કે તેની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ દેખાય આત્મસિદ્ધિ છે. જેમ પિતાની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ થાય છે
તે પિતાના શરીરમાં આત્મા છે, તેમ બીજાના શરીરમાં આત્મા ન હોય તે ઘટાદની જેમ તેની પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ ન થાય. માટે પરદેહમાં પણ આત્મા માનવે જોઈ એ. (૧૫૬૪)
ઇન્દ્રભૂતિ–આપની સાથે આટલી ચર્ચાથી આત્મા છે એમ તે લાગે છે; પણ મારા વિચારમાં જે અસંગતિ આપને જણાઈ હોય તે બતાવો તો સારું. ભગવાન–જે તે એમ વિચાર્યું હતું કે “જીવના કોઈ પણ લિંગનો જીવ
સાથેનો સંબંધ પ્રત્યક્ષ પ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહિ, જેમ આત્મસિદ્ધિમાં સસલા સાથે તેનું શિંગડું કદી દેખાયું નથી, તેમ, એટલે જીવનું અનુમાને ગ્રહણ લિંગથી થઈ શકે નહિ, ઈત્યાદિ (૧૫૬૫). તે બાબતમાં
જણાવવાનું કે એ એકાંત નિયમ નથી કે લિંગી–સાધ્ય સાથે લિંગ-હેતુને પહેલાં જોયો હોય તો જ પછી લિંગથી સાધ્યની સિદ્ધિ થાય છે, અન્યથા નહિ, કારણ કે, ભૂતને હાસ્ય, ગાન, રૂદન, હાથપગ પછાડવાની ક્રિયા, આંખના ચાળા ઇત્યાદિ તેના લિંગ સાથે કદી આપણે જોયું નથી હોતું, છતાં એ લિંગ જોઈને બીજાના શરીરમાં ભૂતનું અનુમાન થાય છે. તે જ પ્રમાણે આત્માનું અનુમાન, ભલે
૧. જુઓ ગાથા ૧૫૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org