________________
ગણધરવાદ
[ગણધર ગુણી આત્મા પણ હોવો જોઈએ. વળી ભલે તે આત્માનું પ્રત્યક્ષ ન માને, પણ એ જ નિયમાનુસાર સ્મરણાદિ ગુણોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ તો તારે માનવું જ પડશે. (૧૫૬૦)
ઇન્દ્રભૂતિ–સ્મરણાદિ ગુણનું પ્રત્યક્ષ થવાથી તેનો ગુણી કઈ હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. પણ આપે છે તે ગુણ આત્મા જ છે એમ કહી નાખ્યું. તે બરાબર નથી; કારણ, દેહમાં જ કૃશતા, ગૌરતા આદિ ગુણોની જેમ સ્મરણાદિ ગુણે પણ ઉપલબ્ધ થાય છે, તેથી તેને ગુણે દેહથી ભિન્ન એ આત્મા નહિ પણ દેહ જ માનવે જોઈએ. (૧૫૬૧) ભગવાન -જ્ઞાનાદિ ગુણે એ દેહના ગુણે સંભવે નહિ, કારણ કે ઘડાની જેમ દેહ
મૂત છે અથવા ચાક્ષુષ છે. ગુણે ગુણ-દ્રવ્ય વિના રહેતા તે નથી; જ્ઞાન દેહગુણ માટે ઝનાદિ ગુણેને અનુરૂપ એવા અમૂર્ત અને અચાક્ષુષ આત્માને
નથી - દેહથી ભિન્ન એવો ગુણ માન જોઈએ. - ઇન્દ્રભૂતિ–જ્ઞાનાદિ ગુણોને આપ દેહના નથી માનતા; પણ તેમાં તો પ્રત્યક્ષ બાધ છે, કારણ કે જ્ઞાનાદિ ગુણે શરીરમાં જ દેખાય છે.
- ભગવાન– જ્ઞાનાદિ ગુણ દેહમાં છે એવું પ્રત્યક્ષ જ અનુમાનબાધિત હોવાથી જ્ઞાનાદિ ગુણેને દેહમાં માની શકાય નહિ, પણ દેહભિન્ન આત્મામાં જ માનવા જોઈએ.
ઇન્દ્રભૂતિ–કયા અનુમાનથી જ્ઞાનાદિગુણોનું દેહમાં પ્રત્યક્ષ બાધિત છે ?
ભગવાન–દેહમાં રહેલ ઇન્દ્રિયોથી વિજ્ઞાતા–આત્મા ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયને વ્યાપાર ન હોવા છતાં તેનાથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે. જેમ ગેખલા દ્વારા
ચેલી વસ્તુને ગોખલા વિના પણ દેવદત્ત સ્મરી શકે છે, માટે દેવદત્ત ગોખલાથી ભિન્ન છે, તે જ પ્રમાણુ ઇન્દ્રિયો વિના પણ ઇન્દ્રિયોથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ કરતે હાવાથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન માનવે જોઈએ. આ પ્રકારે અનુમાનથી પ્રત્યક્ષ બાધિત હોવાથી તે પ્રત્યક્ષ બ્રાન્ત છે, એટલે મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણનો ગુણ દેહ માની શકાય નહિ. (૧૫૬૧) વળી, આત્માનું પ્રત્યક્ષ તને પણ છે તે મેં બતાવ્યું છે તારું એ પ્રત્યક્ષ આંશિક
છે, કારણકે તને આત્માનું સર્વ પ્રકારે સંપૂર્ણ પ્રત્યક્ષ નથી, પણ સર્વને જીવ મને તે તેનું સર્વથા પ્રત્યક્ષ છે. તું છદ્મસ્થ છે, વીતરાગ નથી, તેથી પ્રત્યક્ષ છે તને વસ્તુને અનંત સ્વ અને પર પર્યાયોને સાક્ષાત્કાર થઈ શકે નહિ.
પણ વસ્તુના અંશને સાક્ષાત્કાર થાય છે, જેમ ઘટાદિ પદાર્થો પ્રદી૧. આ બાબતમાં વાયુભૂતિ સાથેના વાદમાં વિશેષ ચર્ચા કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org