________________
ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા
[૧૧ ઇન્દ્રભૂતિ–શબ્દને તમે પગલિક શાથી કહો છો?
ભગવાન–ઈન્દ્રિયનો વિષય છે એથી. જેમ રૂપાદિ ચક્ષુરાદિથી ગ્રાહ્ય છે તેથી શબ્દ પદગલિક છે, તેમ શબ્દ પણ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય હેવાથી દિગલિક છે પદ્દગલિક છે. (૧૫૫૮)
ઇન્દ્રભૂતિ–ગુણ પ્રત્યક્ષ હોય તો ભલે તમે ગુણને પ્રત્યક્ષ માને પણ તેથી ગુણને શી લેવા દેવા ?
ભગવાન–ગુણીને લેવા-દેવા કેમ નહિ? હું તને પૂછું છું કે ગુણ ગુણથી ગુણ-ગુણને ભેદભેદ અભિન્ન છે કે ભિન્ન ?
ઇન્દ્રભૂતિ–ગુણને ગુણીથી અભિન્ન માનીએ તો?
ભગવાન–જે ગુણો ગુણીથી અભિન્ન હોય તો ગુણ-દર્શનથી ગુણીનું પણ સાક્ષાત દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના સ્મરણાદિ ગુણેના પ્રત્યક્ષ માત્રથી ગુણી જીવને પણ સાક્ષાત્કાર માન જ જોઈએ. જેમ કપડું અને તેનો રંગ જે અભિન્ન હોય તો રંગના ગ્રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ સ્મરણાદિ ગુણો જે આત્માથી અભિન્ન હોય તે સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જાય છે. (૧૫૫૯)
ઇન્દ્રભૂતિ–ગુણથી ગુણ ભિન્ન જ છે, આ પક્ષ માનવાથી તો ગુણનું પ્રત્યક્ષ છતાં ગુણીનું પ્રત્યક્ષ નહિ થાય; એટલે આપ આ પક્ષે એમ નહિ કહી શકો કે સ્મરણાદિ ગુણે પ્રત્યક્ષ હોવાથી ગુણ આત્મા પણ પ્રત્યક્ષ છે.
ભગવાન– ગુણોને ભિન માનવાથી તે ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહિ થાય, તો તું ઘટની પણ સિદ્ધિ નહિ કરી શકે, કારણ, ઈન્દ્રિયો વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હેવાથી રૂપાદિને તો પ્રત્યક્ષસિદ્ધ માની શકાશે, પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તે પ્રત્યક્ષ થયું જ નથી તો તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે ?– આ પ્રકારે તો ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી, તે કેવળ આત્માના જ નાસ્તિત્વનો વિચાર કેમ કરે છે? ઘટાદિની જ સિદ્ધિ પ્રથમ કરી અને પછી આત્મા વિશે વિચાર કરવામાં તેનું દષ્ટાંત આપ કે “ઘટાદિ તો પ્રત્યક્ષસિદ્ધ છે, માટે તેનું અસ્તિત્વ છે; પણ જીવ તો પ્રત્યક્ષ નથી, માટે તેનો અભાવ છે.”
ઇન્દ્રભૂતિ ગુણે કદી ગુણી વિના તો હોતા નથી–એટલે ગુણના શ્રવણ દ્વારા ગુણીની પણ સિદ્ધિ થઈ શકે છે–આથી રૂપાદિ ગુણેના ગ્રહણ દ્વારા ઘટાદિની સિદ્ધિ થઈ જશે.
ભગવાન–એ જ નિયમ આત્મા વિશે પણ કહી શકાય કે સ્મરણાદિ એ ગુણે છે તો તે પણ ગુણ વિના રહેશે નહિ; એટલે જે સ્મરણાદિ ગુણોનું પ્રત્યક્ષ હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org