SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ગણવરવાદ [ગણધર પહેલાં તેની સાથે લિગઢČન ન થયુ` હોય છતાં, થઈ શકે છે, તેમ માનવુ' જોઈ એ. (૧૫૬૬) વળી, આત્મસાધક અનુમાન પ્રયાગ આવે! પણ કરી શકાય છે.દેહના કાઈ કર્તા હાવા જોઈ એ, કારણ કે તેને ઘડાની જેમ સાદિ એવે પ્રતિનિયત—ચાક્કસ એક આકાર છે. જેને કાઈ કર્તા નથી હાતા તેના સાદ્ધિ એવેા પ્રતિનિયત આકાર પણ નથી હોતા; જેમ વાદળના મેરુ આદિ નિત્ય પદાર્થના પણ પ્રતિનિયત આકાર તા હોય છે. પણ તેની આદિ નથી, કારણ કે નિત્ય છે; એટલે હેતુમાં આદિ એવુ... વિશેષ આપ્યું છે. આથી ઉક્ત હેતુથી મેરુ જેવા પ્રતિનિયત આકારવાળાં છતાં પ્રતિનિયત પદાર્થાના કાઈ કર્તા સિદ્ધ થતા નથી; પણ જે પદાર્થોના આકાર સાદિ અને પ્રતિનિયત હશે તેમના જ કેાઈ કર્તા સિદ્ધ થાય છે, વળી, ખીજું પણુ આત્મસાધક અનુમાન છે તે આ પ્રમાણે—ઇન્દ્રિચેાને કાઇ અધિષ્ઠાતા હોવા જોઈ એ, કારણ કે તે કરણો છે; જેમ દાંડાદિ કરણોના કું ભકારાદિ અધિષ્ઠાતા છે તેમ. જેના કેઈ અધિષ્ઠાતા ન હાય તે આકાશની જેમ કરણ પણ નથી ખનતું. એટલે ઇન્દ્રિયાને કોઈ અધિષ્ઠાતા માનવા જોઈ એ, અને તે આત્મા છે. (૧૫૬૯) વળી, ત્રીજુ પણ આત્મસાધક અનુમાન આ પ્રમાણે છે: ઇન્દ્રિય દ્વારા વિષયે નુ ગ્રહણુ-આદાન થાય ત્યારે તે, એ વચ્ચેના બ્રહણુ-ગ્રાહ્ય-ભાવ સંબંધમાં કઈ આદાતા – ગ્રહણ કરનાર હોવા જોઈએ, કારણ કે તે ખન્નેમાં આદાન-આદેય ભાવ છે. જ્યાં આદાન-આદેય ભાવ હાય છે ત્યાં કોઈ આદાતા હાય છે. જેમ લેાઢા અને સાણસીમાં આદાન-આદેયભાવ છે તેા લુહાર તેમાં આદાતા છે, તેમ ઇન્દ્રિય અને વિષયમાં પણ આદાન-આદેયભાવ હાવાથી તેમાં પણ કાઈ આદાતા હોવા જોઈ એ. જ્યાં આદાનઆદેય-ભાવ નથી હોતા ત્યાં આદાતા પણ નથી હાતે; જેમ આકાશમાં. માટે ઇન્દ્રિય અને વિષયામાં કોઈ આદાતા માનવા જોઈ એ, અને તે જ આત્મા છે. (૧૫૬૮) આત્મસાધક ચૂંથું અનુમાન આ પ્રમાણે છે—દેહાદના કોઈ ભાક્તા—અર્થાત્ ભાગવનાર હાવા જોઈ એ, કારણ કે તે ભાગ્ય છે; જેમ ભેાજન અને વસ્ત્ર ભાગ્ય હોવાથી તેના ભાક્તા પુરુષ છે. જેના કાઈ ભે!ક્તા નથી તે ખવિષાણુની જેમ ભાગ્ય પણ નથી. શરીરઆદિ તે ભાગ્ય છે, માટે તેને ભેાક્તા હેાવા જોઇએ. જે ભક્તા છે તે આત્મા છે, વળી, પાંચમું આત્મસાધક અનુમાન આ પ્રમાણે છે–દેહાદિના કેાઈ અથી-સ્વામી છે, કારણ કે દેહાદિ સંઘાતરૂપ છે. જે સ`ઘાતરૂપ હોય છે તેના કાઈ સ્વામી હોય છે; જેમ ઘર એ સ`ઘાતરૂપ છે તે તેના સ્વામી કેાઈ પુરુષ છે. દેહાર્દિ પણ સ`ઘાતરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy