________________
ગણધરવાદ
[ગણધર બાધક પ્રમાણુ જે આપ્યું હોય છે તેને નિરાસ જ કરવામાં આવે છે. પ્રસ્તુતમાં આત્મગ્રાહક પ્રત્યક્ષનું કેઈ બાધક પ્રમાણ છે જ નહિ, એટલે તેના નિરાકરણને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી; અર્થાત્ આત્મસિદ્ધિમાં પ્રત્યક્ષેતર પ્રમાણ અનાવશ્યક જ છે. (૧૫૫૪)
ઈન્દ્રભૂતિ – આપે સંશયવિજ્ઞાનરૂપે જીવ પ્રત્યક્ષ છે એમ કહ્યું તે બરાબર છે, પણ બીજા કોઈ પ્રકારે તે પ્રત્યક્ષ થતો હોય તે બતાવે. ભગવાન–મેં કહ્યું, “હું કરું છું, “હું કરીશ” ઇત્યાદિ પ્રકારે ત્રણે કાલસંબંધી
પિતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે તેમાં જે અહંપ્રત્યયથી “હું” પણાનું અહંરૂપ જ્ઞાન થાય છે તે પણ આભપ્રત્યક્ષ જ છે. જીવનું પ્રત્યક્ષ આ અહંરૂપજ્ઞાન એ કાંઈ અનુમાનરૂપ નથી, કારણ કે તે લિંગજન્ય
નથી, અને તે આગમપ્રમાણરૂપ પણ નથી કારણ કે આગમને નહિ જાણનાર સામાન્ય લોકોને પણ અહંપણનું અત્તમુખજ્ઞાન હોય જ છે, અને તે જ આત્માનું પ્રત્યક્ષ છે. ઘટ વગેરે જેમાં આત્મા નથી તેમને એવું અહંપણાનું અંતર્મુખ આત્મપ્રત્યક્ષ પણ હોતું નથી. (૧૫૫૫)
વળી જે જીવ હોય જ નહિ તે તને “અહં” એવો પ્રત્યય—જ્ઞાન ક્યાંથી થાય? કારણ કે જ્ઞાન નિવિષય તે હોતું નથી. જે “અહ”-પ્રત્યાયના વિષયભૂત આત્માને ન માનવામાં આવે તે “અહ”-પ્રત્યય નિર્વિષય બની જાય; એ સ્થિતિમાં અહં-પ્રત્યય થાય જ નહિ, ઇન્દ્રભૂતિ–અહં–પ્રત્યયને વિષય જીવ નહિ પણ જે દેહ માનવામાં આવે તે પણ
અહે–પ્રત્યય નિર્વિષય નહિ બને. “હું કાળો છું હું બળ છું” અહ-પ્રત્યય દેહ ઇત્યાદિ પ્રત્યયોમાં “હું” સ્પષ્ટરૂપે શરીરને બક્ષીને પ્રયુક્ત થયો વિષયક નથી છે, તે “હું” એટલે “દેહ' એમ માનીએ તો શો વાંધો ?
ભગવાન–જે “હું” એ શબદ દેહ માટે જ વપરાતું હોય તે મૃત દેહમાં પણ અહ-પ્રત્યય થવો જોઈએ, તે તે તો નથી માટે “હું”પણાના જ્ઞાનનો વિષય દેહ નહિ પણ જીવ છે. વળી, આ પ્રકારે અહં–પ્રત્યયથી આત્મા તને પ્રત્યક્ષ છે જ તે પછી
૧. શન્યવાદીઓ સકલ વસ્તુની શન્યતા સિદ્ધ કરવા માટે આ પ્રમાણે અનુમાન કરે છે –નિરાત્રના સર્વે પ્રત્યયા:, પ્રત્યયત્યાસ, વનપ્રયત-જુએ પ્રમાણુવાર્તિકાલંકાર પૃ૦ ૨૨, અર્થાત્ બધા જ્ઞાનેને વિષય કઈ છે જ નહિ, કારણ કે તે જ્ઞાને છે, સ્વપ્નજ્ઞાનની જેમ. આ અનુમાન વિજ્ઞાનવાદીઓનું છે જેઓ વિજ્ઞાનથી ભિન્ન એવી કઈ બાહ્ય વસ્તુ માનતા નથી, અને તેને ઉપયોગ બાહ્ય વસ્તુને બાધ બતાવવા માટે શુન્યવાદીઓ પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org