SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ‘છું કે નહિ એવા સંશયને અવકાશ જ નથી. ઊલટું “હું છું જ” એ આત્મા વિશેને નિશ્ચય જ થવો જોઈએ, અને છતાં પણ જો તને આત્મા વિશે સંશય જ રહેતું હોય તે પછી અહં–પ્રત્યયને વિષય શો રહેશે ? અર્થાત્ “અહં–પ્રત્યય” કેને થશે? કઈ પણ જ્ઞાન નિર્વિષય તે હોતું નથી, એટલે અહં–જ્ઞાનને પણ કઈ વિષય તો માને જ જોઈએ. તું આત્માને માન નથી, એટલે તારે એ બતાવવું જોઈએ કે અહં–પ્રત્યયનો વિષય છે છે. (૧૫૫૬) વળી, જે સંશય કરનાર કોઈ ન હોય તો હું છું કે નથી' એ સંશય કેને થશે? સંશય એ વિજ્ઞાનરૂપ છે, અને વિજ્ઞાન એ ગુણ છે. ગુણ સંશયકર્તા એ તો ગુણી વિના સંભવે નહિઃ માટે સંશયરૂપ વિજ્ઞાનને કઈ જીવ જ છે ગુણ માનવો જ જોઈએ. જે સંશયને ગુણી આધાર છે તે જ જીવ છે. ઇન્દ્રભૂતિ-જીવને બદલે દેહને જ ગુણ માનીએ, કારણ કે દેહમાં જ સંશય ઊઠે છે. ભગવાન–દેહ એ મૂર્ત છે અને જડ છે, જ્યારે જ્ઞાન એ તે અમૃત અને બધરૂપ છે. આ પ્રકારે એ બને અનનુરૂપ છે–વિલક્ષણ છે, તેથી તે બન્નેને ગુણગુણભાવ ઘટી શકે નહિ. અન્યથા આકાશમાં પણ રૂ૫ ગુણ છે એમ માનવું પડશે. આથી દેહને સંશયને ગુણ માની શકાય નહિ. વળી, જેને સ્વરૂપમાં જ સંદેહ હોય–પિતાના જ વિશે સંદેહ હોય તેને તે આખા વિશ્વમાં કશું જ અસંદિગ્ધ કેમ બને ? તેને તે બધે જ સંશય થાય. વળી, આત્મા અહં–પ્રત્યયથી પ્રત્યક્ષ છતાં જે તું અનુમાન કરે કે “આમાં નથી, કારણકે તેમાં અસ્તિત્વ અર્થાત ભાવના ગ્રાહક પાંચે પ્રમાણોની આત્મબાધક પ્રવૃત્તિ નથી–તે આ અનુમાનમાં તારો પક્ષ પ્રત્યક્ષબાધિત અનુમાનના દોષો પક્ષાભાસ–મિથ્યા પક્ષ ઠરે છે. જેમ શબ્દનું શ્રવણ દ્વારા પ્રત્યક્ષ થાય છે છતાં કેઈ કહે કે “શબ્દ તો અશ્રાવણ' છે અર્થાત તે કર્ણ ગ્રાહ્ય નથી, તે તેને પક્ષ પ્રત્યક્ષબાધિત હોવાથી પક્ષાભાસ છે, અને “આત્મા નથી' એ તારો પક્ષ અનુમાનબાધિત પણ છે. આત્મસાધક અનુમાન આગળ આપવામાં આવશે, તે અનુમાનથી આ તારો પક્ષ બાધિત થઈ જાય છે; જેમ, મીસાંસકનો “શબ્દ નિત્ય છે. આ પક્ષ નૈયાયિક આદિના શબ્દની અનિત્યતાના સાધક અનુમાન દ્વારા બાધિત થઈ જાય છે. વળી ‘હું સંશયકર્તા છું” આ વસ્તુ સ્વીકાર્યા પછી “આમાં નથી” અર્થાત હું નથી એમ કહેવા જતાં તારે પક્ષ સ્વાભ્યપગમથી બાધિત કરે છે, કારણ કે “હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy