________________
(૭
ઇન્દ્રભૂતિ
જીવના અસ્તિત્વ વિશે ચર્ચા આત્મા અસિદ્ધ છે તે જ પ્રમાણે કાલાદિ પણ, તેમનું પ્રત્યક્ષ થતું ન હોવાથી, અસિદ્ધ જ છે, માટે ઉપમાન પ્રમાણથી આત્મસિદ્ધિ થઈ શકતી નથી.
“અર્થપત્તિ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતું નથી કારણ સંસારમાં અથપત્તિથી પણ એ કેઈપણ પદાર્થ નથી જેનું અસ્તિત્વ જે આત્મા માનીએ તે જીવ અસિદ્ધ છે જ ઘટી શકે.”
આ પ્રમાણે તે માને છે કે જીવ સર્વ પ્રમાણાતીત છે, અર્થાત તે કેઈપણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી, માટે તેને અભાવ માનવો જોઈએ. આમ છતાં ઘણું લેકે જીવનું અસ્તિત્વ માને છે, એટલે તેને સંદેહ-સંશય થયું છે કે જીવનું અસ્તિત્વ છે કે નહિ! (૧૫૫૩)
હે ગૌતમ! તારે જવવિષયક આ સંદેહ અસ્થાને છે. તે જે માન્યું છે કે સંશયનું “જીવ પ્રત્યક્ષ નથી” એ તારું મંતવ્ય બરાબર નથી; કારણ, નિવારણ જીવ તને પ્રત્યક્ષ છે જ. ઇન્દ્રભૂતિ–તે કેવી રીતે ? ભગવાન–“જીવ છે કે નહિ?” એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે,
કારણ, જીવ વિજ્ઞાનરૂપ છે. તને તારો સંદેહ તો પ્રત્યક્ષ જ છે, કારણ જીવ પ્રત્યક્ષ છે કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપોય તે સ્વ સંવેદન-પ્રત્યક્ષથી સ્વસં. સંશયવિજ્ઞાનરૂપે વિદિત હોય જ છે; અન્યથા વિજ્ઞાનનું જ્ઞાન ઘટી શકતું જ નથી. આ
પ્રકારે સંશયરૂપ વિજ્ઞાન છે તને પ્રત્યક્ષ હોય તે તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ છે જ, અને જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજાં પ્રમાણે અનાવશ્યક છે. જેમ પિતાના દેહમાં જે સુખ-દુઃખાદિને અનુભવ થાય છે તે સ્વસવિદિત હોવાથી પ્રત્યક્ષસિદ્ધિ છે અને સુખ-દુઃખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષેતર પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સ્વસંવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણે અનાવશ્યક છે.
ઇન્દ્રભૂતિ-જીવ ભલેને પ્રત્યક્ષસિદ્ધ હોય, પણ તેની બીજા પ્રમાણેથી સિદ્ધિ કરવી જરૂરી છે. જેમ આ વિશ્વના પદાર્થો પ્રત્યક્ષ સિદ્ધ છતાં શુન્યવાદીને સમજાવવા અનુમાનાદિ પ્રમાણોથી તેની સિદ્ધિ કરવી પડે છે, તે જ પ્રમાણે જીવ ભલેને પ્રત્યક્ષ સિદ્ધ હોય છતાં તેની અનુમાનાદિ પ્રમાણેથી સિદ્ધિ કરવી આવશ્યક છે.
ભગવાન–શૂન્યવાદીની ચર્ચામાં ૫૧ વસ્તુતઃ અનુમાનાદિ પ્રમાણ વડે વિશ્વના પદાર્થોની સિદ્ધિ કરવામાં નથી આવતી, પણ શૂન્યવાદીએ વિશ્વના પદાર્થોનાં અસ્તિત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org