SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ [ગણધર છે કે “એ ભૂતોથી વિજ્ઞાનઘન સમુસ્થિત થાય છે અને ભૂતોના નષ્ટ થવાથી તે પણ નષ્ટ થઈ જાય છે. પલક જેવું કશું જ નથી, અને ભગવાન બુદ્ધ પણ આત્માનો અભાવ બતાવતાં કહ્યું છે કે “રૂપ એ પુદ્ગલ નથી અથત બાહ્ય દશ્ય વસ્તુ એ જીવ નથી, એમ શરૂ કરીને પ્રસિદ્ધ બધી વસ્તુ એક એક લઈને તે જીવ નથી એમ ભગવાન બુદ્ધ સિદ્ધ કર્યું છે. આથી વિરુદ્ધ આત્માનું અસ્તિત્વ બતાવનાર પણ આગમ વચનો મળે છે, જેમ કે વેદમાં કહ્યું છે-“સશરીર આત્માને પ્રિય અને અપ્રિય-અર્થાત સુખ અને દુઃખને નાશ નથી, પણ શરીર વિનાના જીવને પ્રિય અને અપ્રિયને સ્પર્શ પણ નથી, અર્થાત્ સુખ કે દુખ નથી. વળી કહ્યું છે કે “સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર કરે.”* સાંખ્યાના આગમમાં કહ્યું છે કે “પુરુષ-આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા અને ચિપ છે." આ પ્રમાણે આગમ પણ પરસ્પર વિરુદ્ધ હોવાથી આગમ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતું નથી. “ઉપમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી, કારણ વિશ્વમાં આત્મા જેવો બીજે કઈ પદાર્થ હોય તે તેની ઉપમા આત્માને ઉપમાન પ્રમાણથી આપી શકાય અને આત્માને જાણી શકાય, પણ આત્મસદેશ કોઈ જીવ અસિદ્ધ છે પદાર્થ છે જ નહિ. આથી ઉપમાનથી પણ આત્મ-સિદ્ધિ થઈ શકતી નથી. કઈ એમ કહે કે કાલ, આકાશ, દિ એ બધાં અમૂર્ત હોવાથી આત્મસદશ છે, તેથી ઉપમાન પ્રમાણથી આમસિદ્ધિ થઈ શકે એમ છે. તેનો ઉત્તર એ છે કે જેમ ૧. વિજ્ઞાનઘન વૈલેન્થા મતેઃ સમુથાર તાન્ચેવ નુ વિનતિ, ન ર ય સંજ્ઞાતિ ” બહદારણ્યક | ઉપનિષદ ૨. ૪. ૧૨, ઋષિ યાજ્ઞવકથનું આ વાક્ય છે. ૨. “ન દવે મિક્ષવા ! ઝ” આ વિષયની બૌદ્ધ ત્રિપિટકમાં વિસ્તૃત ચર્ચા છે. જુઓ સંયુત્તનિકાય ૧૨. ૭૦. ૩૨-૩૭. દીઘનિકાય મહાનિદાનસુત્ત ૧૫. મજિઝમ નિકાય છકક સુત્ત ૧૪૮. આ વિષયની ચર્ચા મેં ન્યાયાવતારવાતિંકવૃત્તિની પ્રસ્તાવનામાં કરી છે. જુઓ પૃ. ૬. ૩. “ન ટૂ હૈ સારીરી બ્રિાઝિયાર તિરહિત, અશરીરં વા વસન્ત પ્રિયtfuથે ન કૃશતઃ ” છાન્દોગ્ય ઉપનિષદ ૮, ૧૨, ૧ ૪. “અઘિાત્ર ગુહુયાત્ સ્વામ” મૈત્રાયણી ઉપનિષદ ૩, ૬, ૩૬ ५. अस्त पुरुषोऽकर्ता निर्गुणा भोक्ता चिद्रूपः' આની સાથે સરખાવअमूर्तश्चेतना भोगी नित्यः सर्व गतोऽक्रियः। કર્તા નિનઃ ક્રમ માં પિસ્ટને ” આ પદ્ય સ્યાદ્વાદમંજરીમાં ઉદ્ધત છે. પૃ ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy