________________
(ઇ) પરલેાકવિચાર
ગણુધરવાદમાં પાંચમા ગણધર સુધર્માએ આ ભવ અને પરભવના સાદસ્ય-વૈસાદૃશ્યની ચર્ચા કરી છે. સાતમા ગúધર મૌ પુત્રે દૈવ વિશે સ ંદેહ કર્યાં છે, આઠમા ગણધર એક પિતે નારક વિશે સ ંદેહ કર્યાં છે, દશમા ગણધર મેતાયે પરલેક છે કે નહિ એવા સ ંદેહ કર્યાં છે. આ પ્રકારે પરણેકના પ્રશ્ન અનેક રીતે ચર્ચાય છે, એટલે અહીં પરલેાક વિશે પણ વિચારવું પ્રાપ્ત છે. પરલેાક એટલે મૃત્યુ પછીના લેાક. જીવની મૃત્યુ પછીની જે વિવિધ ગતિ થાય છે તેમાં દૈવ, પ્રેત અને નારક એ ત્રણ અપ્રત્યક્ષ હાઈ સામાન્ય રીતે પરલેાકની ચર્ચામાં એ વિશે જ વિશેષ વિચાર કરવાના રહે છે. અહીં વૈદિક, જૈન અને બૌદ્ધોની દેવ, પ્રેત અને નારકી વિશેની જે વિવિધ કલ્પનાએ છે તે વિશે નિરૂપણુ કરવાના ઇરાદે છે. તે સિવાય જે મનુષ્ય અને તિયાઁચ ચેાનિએ છે તે તે સૌને પ્રત્યક્ષ જ છે એટલે એ વિશે વિશેષ વિચાર કરવાના રહેતેા નથી. તે બાબતમાં પણ વર્ગીકરણ જે પ્રકારે જુદી જુદી પરંપરાઓમાં કરવામાં આવે છે તે પણ જ્ઞાતવ્ય તેા છે જ, પણ અહીં તેની ચર્ચા અપ્રાસંગિક હાઈ કરી નથી.
ક અને પરલેવિચાર એ અને પરસ્પર એવી રીતે સંબદ્દ છે કે એક વિના ખીજો સંભવે નહિ. જ્યાંસુધી કર્માંના અર્થ માત્ર પ્રત્યક્ષ ક્રિયા એટલા જ કરવામાં આવતા ત્યાંસુધી એ ક્રિયાનુ ફળ પ્રત્યક્ષ જ મનાતું, કાઈએ કપડાં સીવવાની ક્રિયા કરી અને તેનું ફળ તૈયાર કપડુ તેને મળી ગયું. કાઈએ રાંધવાની ક્રિયા કરી અને તેને તૈયાર રસેાઈ મળી ગઈ. આ પ્રમાણે પ્રત્યક્ષ ક્રિયાનું ફળ સાક્ષાત્ અને તે પણ તુરત મનાય એ સ્વાભાવિક છે. પણુ જ્યારે મનુષ્યે જોયું કે તેની બધી ક્રિયાનું ફળ સાક્ષાત્ થતું નથી અને તુરત મળતું પણ નથી-કૃષક ખેતી કરે છે, મહેનત મજૂરી કરે છે, છતાં પણ જો વરસાદ સમયસર ન થાય તેા તેની બધી મહેનત ધૂળમાં મળી જાય છે. વળી નૈતિક સદાચારના નિયમેાનું પાલન કરવા છતાં કાઈ સંસારમાં દુઃખી અને દુરાચારી છતાં સુખી દેખાય છે. સદાચાર એ જો સુખ આપનાર હાય તા સદાચારી તેના સદાચારના ફળરૂપે સુખ અને દુરાચારીને તેના દુરાચારનું ફળ દુઃખ કેમ સાક્ષાત્ અને તુરત મળતું નથી ? નવાત શિશુએ એવુ શું કર્યું છે જેથી તે જન્મતાં વેંત સુખી કે દુ:ખી થાય છે? ઇત્યાદિ પ્રશ્નાના વિચારે મનુષ્યને જ્યારે કમ વિશે વધારે વિચાર કરતા કરી દીધા ત્યારે કમ એ સાક્ષાત્ ક્રિયા માત્ર નહિ, પરંતુ અદૃષ્ટ સંસ્કારરૂપ પણ છે એવી કલ્પના થઇ અને તેની સાથે જ પરલેાકચિંતા સંકળાઈ ગઈ. મનુષ્યનાં સુખ દુઃખના આધાર તેની પ્રત્યક્ષ ક્રિયા માત્ર નહિ પણ પરલેાક-પૂર્વજન્મની ક્રિયા જે સંસ્કારરૂપે કે અદૃષ્ટરૂપે તેના આત્મા સાથે સંબદ્ધ છે તે પણ છે, એ જ કારણ છે કે પ્રત્યક્ષ સદાચાર છતાં મનુષ્ય પૂર્વજન્મના દુરાચારનું ફળ દુઃખ ભાગવે છે અને પ્રત્યક્ષ દુરાચારી છતાં તે પૂર્વજન્મના સદાચારનું ફળ સુખ ભેગવે છે. બાળક તેના પૂર્વજન્મના સંસ્કાર–કમ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org