________________
૧૩૭
કર્મફલનો સંવિભાગ
એ વિચારવું પ્રાપ્ત છે કે એક વ્યક્તિએ કરેલા કર્મનું ફળ તે બીજી વ્યક્તિને આપી શકે છે કે નહિ. આ બાબતમાં વૈદિકોમાં જે શ્રાદ્ધાદિ ક્રિયાનું પ્રચલન છે તે જોતાં સ્માર્ત ધર્માનુસાર તો એકના કર્મનું ફળ બીજાને મળી શકે છે એવી માન્યતા ફલિત થાય છે. આ માન્યતામાં બૌદ્ધોએ પણ સાથ આપ્યો છે. હિન્દુઓની જેમ બૌદ્ધો પણ પ્રતિનિને સ્વીકાર કરે છે. એટલે પ્રેતને ઉદિષ્ટ કરીને જે દાનપુણ્ય કરવામાં આવે છે તેનું ફળ પ્રેતને મળે છે. મનુષ્ય મરીને તિર્યંચ, નરક કે દેવનિમાં ઉત્પન થયે હેય તો તેને ઉદ્દેશીને કરાયેલ પુણ્યકર્મનું ફળ તેને મળતું નથી, પણ ચાર પ્રકારના પ્રેતમાંથી જે પ્રેતે પરદત્તોપજીવી છે તેને જ માત્ર ફળ મળે છે. અને જે જીવ પરદત્તોપજીવી પ્રેતાવસ્થામાં ન હોય તે પુણ્ય કર્મ કરનારને જ તેનું ફળ મળે છે, બીજ કેઈને નહિ. વળી કોઈ પાપ કર્મ કરીને તેનું ફળ પ્રેતને આપવા માગે છે તેમ બનતું નથી. માત્ર કુશલ કર્મને જ સંવિભાગ થઈ શકે છે, અકુશલ કર્મના નહિએ બૌદ્ધ સિદ્ધાન્ત છે. રાજા મિલિન્દ જ્યારે આનું કારણ પૂછયું કે શા માટે અકુશલને સંવિભાગ નથી થઈ શકતો અને કુશલને જ થાય છે, ત્યારે પ્રથમ તે નાગસેને જવાબ આપ્યો કે આ પ્રશ્ન તારે પૂછવો ન જોઈએ, અને પછી જણાવ્યું કે પાપકર્મમાં પ્રેતની અનુમતિ નથી માટે તેને તેનું ફળ નથી મળતું. પણ આ જવાબથી પણ રાજાને સંતોષ થયો નહિ એથી ફરી નાગસેને કહ્યું કે અકુશળ એ પરિમિત હોય છે તેથી તેને સંવિભાગ શક્ય નથી, પણ કુશળ બહુ હોય છે તેથી તેને સંવિભાગ શકય છે. મહાયાન બૌદ્ધોમાં બેધિસત્વને તો એ આદર્શ જ મનાય છે કે તેઓ પિતાના કુશલકર્મનું ફલ વિશ્વના સમસ્ત જીવોને મળે એવી ભાવના કરે. એટલે મહાયાનના પ્રચાર પછી તે ભારતીય બધા ધર્મોમાં કુશલ કર્મનું ફળ સમસ્ત વિશ્વના જીવોને મળે એવી ભાવનાને વેગ મળ્યો છે.
પરંતુ જૈનગમમાં એ ભાવના કે એ વિચારનું સ્થાન નથી. જૈનધર્મમાં પ્રેતયોનિ માનવામાં આવી નથી, તે પણ કદાચ કર્મફલના અવિભાગની જૈન માન્યતામાં કારણ હય, જેન શાસ્ત્રીય દષ્ટિ તો એ જ છે કે જે જીવ કર્મ કરે તેને જ તેનું ફળ ભોગવવાનું હોય છે, બીજા તેમાં સંવિભાગ પાડી શકતા નથી. પણ આચાર્ય હરિભદ્ર વગેરેએ લૌકિક દૃષ્ટિનું અવલંબન કરીને એવી ભાવના જરૂર વ્યક્ત કરી છે કે મેં જે કાંઈ કુશલ કર્મ કર્યું હોય તેને લાભ અન્ય જીવોને મળે અને તેઓ સુખી થાય,
૧. મિલિન્દ પ્રશ્ન ૪. ૮. ૩૦-૩૫, પૃ. ૨૮૮; કથાવ© ૭. ૬, ૭, પૃ. ૩૪૮. પ્રેતેની કથાએ સંગ્રહ માટે જુઓ પેતવલ્થ અને બિમલાયવણ લે કૃત Buddhist conception of spirits,
२. संसारमावन्न परस्स अट्ठा साहारण जंच करेइ कम्म, कम्मस्स ते तस्स उ वेयकाले ण बंधवा बंधवय उवेति ॥ उत्तरा० ४. ४ माया पिया हुसा भाता भज्जा पुत्ता य आरसा नाल ते मम ताणाय लुप्पं तस्स सकम्मुणा ।। ઉત્તર ૬, ૨, ૩ત્તર. ૧૪. ૧૨; ૨૦, ૨૨-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org