SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ કમ ની પ્રકૃતિ એટલે કે સ્વભાવની દૃષ્ટિએ કર્માંના મૂળ આઠ ભેદ જૈન શાસ્ત્રમાં વર્ણિત છે : જ્ઞાનાવરણ, દ નાવરણુ, વેદનીય, મેાહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. એ આઠ મૂળ ભેદની અનેક ઉત્તર પ્રકૃતિનું વિવિધ જીવાની દૃષ્ટિએ વિવિધ રીતે નિરૂપણુ જૈન શાસ્ત્રમાં મળે છે. કયા જીવમાં કેટલાં કર્યું,-બંધ, ઉદય ઉદીરણા, સત્ત! ઇત્યાદિ દૃષ્ટિએ હાય છે તેનુ વર્ગીકૃત વ્યવસ્થિત નિરૂપણ જૈનશાસ્ત્રમાં છે એના વિસ્તાર કરવેા અહી” અનાવશ્યક છે. જિજ્ઞાસુએ અન્યત્ર જોઈ લેવેોઈએ.૧ ક ખ ધતું પ્રમલ કારણ યોગ અને કષાય એ બન્નેને કર્મબંધનાં કારણુ ગણવામાં આવે છે છતાં એ બન્નેમાં પ્રબળ કારણુ તા કષાય જ છે, એ સર્વસ ંમત સિદ્ધાન્ત છે. પણુ આત્માના એ કષાયે મન-વચન અને કાય દ્વારા જ વ્યક્ત થાય છે. એ ત્રણમાંથી કાઈ પણ એક આલંબન વિના કષાયાને વ્યક્ત થવાના કોઈ બીજો માર્ગ નથી, એટલે હવે પ્રશ્ન એ છે કે મન-વચન-કાય એ ત્રણે આલંબામાંથી પ્રબલ કયુ છે? मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः । बन्धाय विषयासक्त मुक्त्यै निर्विषयं स्मृतम् ॥ બ્રહ્મબિન્દુ ઉપનિષદ (૨)ના આ કથનથી એ સિદ્ધ થાય છે કે મન એ જ પ્રબલ કારણુ છે. કાય-વચનની પ્રવૃત્તિમાં પણ મન સહાયક મનાયું છે, જો મનના સહકાર ન હોય તેા વચનની કે કાયની પ્રવૃત્તિમાં ઠેકાણું રહે નહિ. એટલે મન-વચન-કાય એ ત્રણેમાં પશુ ઉપનિષદના મતે મન પ્રબલ છે. આથી જ કૃષ્ણને અર્જુને કહ્યું છે કે વશ્વ ૢિ મન: ક્રૂ'ર—એ ચંચલ મનના નિધિ કરવા સહેજ નથી, એના નિરોધ ત્યાંસુધી કરવા જોઈએ જ્યાંસુધી એના સર્વથા ક્ષય ન થઈ જાય. જ્યારે આત્મા મનના એવા નિરોધ કરે છે ત્યારે જ તે પરમ પદને પામે છે. એ મન પણુ જૈતાની જેમ ઉપનિષદમાં એ પ્રકારનું માનવામાં આવ્યું છે શુદ્ધ અને અશુદ્ધ. કામ-સંકલ્પરૂપ મન છે તે અશુદ્ધ છે અને તેથી રહિત છે તે શુદ્ધ છે.૪ અશુદ્ધ મન એ સંસારનુ સાધન છે અને શુદ્ધ મન એ મેક્ષનું. જૈન દૃષ્ટિએ અશુદ્ધ મન જ્યાંસુધી કષાયનેા ક્ષય નથી થતા ત્યાંસુધી રહે છે. ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનક નામક બારમાં ગુણુસ્થાનમાં અને પછી શુદ્ધ મન હોય છે. કેવલી એના નિરોધ પ્રથમ કરે છે, પછી જ વચન અને કાયના નિરોધ કરે છે,પ એથી સિદ્ધ થાય છે કે જ્યાં સુધી મન નિરુદ્ધ થતું નથી ત્યાંસુધી વચન અને કાયના નિરોધને પણ અવકાશ નથી. વચન અને કાયનું સંચાલક બળ મન છે. એ ખળ ખતમ થાય એટલે વચન અને કાય પણ નિળ બનીને નિરુદ્ધ થઈ જાય છે. આ જ કારણે જૈનાએ મન-વચન-કાય એ ત્રણેની પ્રવૃત્તિમાં મનની પ્રવૃત્તિને પ્રબળ માની છે. અને હિંસા અહિંસાના વિચારમાં કાયયેાગ કે વચનયેગ નહિ પણ માનસિક અવ્યવસાય રાગ અને દ્વેષને જ કર્મ બંધનુ ૧. કમ ગ્રન્થ ૧-૬; ગેામટ્ટસાર કર્મકાંડ ૨. ગીતા. ૬, ૩૪ ३. तावदेव निरोद्धव्यं यावद् हृदि गतं क्षयं । एतज्ज्ञानं च मोक्ष ं च अतोऽन्यो प्रन्थविस्तरः ब्रह्मवि० ५ ૪. બ્રહ્મબિન્દુ : ૧, ૫. વિશેષાવશ્યક૩૦૫૯-૩૦૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy