________________
૧૨૬
વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ એવાં નામે છે. તે પુદ્ગલ દ્રવ્ય છે કે ગુણ છે કે ધર્મ છે કે બીજું કાંઈ સ્વતંત્ર દ્રવ્ય છે, એ બાબતમાં દાર્શનિકમાં વિવાદ છતાં વસ્તુગત ખાસ વિવાદ નથી એ આપણે જોયું. એટલે હવે એ કર્મ એટલે કે દ્રવ્યકર્મના ભેદ વગેરેને વિચાર કરીએ. કર્મના પ્રકાર
દાર્શનિકોએ કર્મના પ્રકાર વિવિધ રીતે કર્યા છે, પણ પુણ્ય-પાપ, કુશલ-અકુશલ, શુભ-અશુભ, ધર્મ-અધર્મ એ રીતે કર્મના ભેદ તે બધાં દર્શનમાં માન્ય છે. એટલે એમ કહી શકાય કે કર્મના પગ્ય-પાપ અથવા તે શુભ-અશુભ એવા જે બે ભેદ પાડવામાં આવે છે એ પ્રાચીન છે. અને પ્રારંભમાં કમ-વિચારણામાં એ બે જ ભેદ પડ્યા હશે. પ્રાણીને જે કર્મનું ફળ અનુકૂળ જણાય છે તે પ્રશ્ય અને પ્રતિકૂળ જણાય તે પાપ, એ અર્થ કરવામાં આવે છે. અને તે રીતના ભેદ ઉપનિષદ, જૈન, સાંખ્ય.૩ બૌદ્ધ૪ મેગ, ન્યાય-વૈશેષિક એ બધામાં મળે છે. આમ છતાં વસ્તુતઃ બધાં દર્શનેએ પ્રય હોય કે પાપ એ બને કમેન બંધન જ માન્યાં છે અને એ બનેથી છૂટકારે પ્રાપ્ત કરે એ
એય સ્વીકાર્યું છે. આથી જ કર્મજન્ય જે અનુકૂલ વેદના છે તેને પણ વિવેકી જ સુખ નહિ પણ દુઃખ જ માને છે.
કમના પુણ્ય-પાપ રૂપે બે ભેદ એ વેદનાની દષ્ટિએ કરવામાં આવે છે, પણ કર્મના પ્રકારો વેદના સિવાયની અન્ય દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. વેદનાની નહિ પણ કર્મને સારું-નરસું માનવાની દૃષ્ટિને સામે રાખીને બૌદ્ધ અને ગદર્શનમાં કૃષ્ણ, શુકલ, શુકલકૃષ્ણ, અને અશુકલાકૃષ્ણ એવા પણ ચાર પ્રકાર કરવામાં આવે છે. આમાંય કૃષ્ણ એ પાપ, શુકલ એ પુણ્ય. શુકલકૃષ્ણ એ પુણ્ય-પાપનું મિશ્રણ છે, પરંતુ અશુકલાકૃષ્ણ એ બેમાંથી એકેય નથી, કારણ કે એ કર્મ વીતરાગ પુરુષને હોય છે, અને તેને વિપાક સુખ કે દુઃખ કશું જ નથી, કારણ કે તેમનામાં રાગ કે દ્વેષ કશું જ હોતું નથી.૯
આ ઉપરાંત કર્મના ભેદો કૃત્ય, પાકદાન અને પાકકાલની દષ્ટિએ પણ કરવામાં આવે છે. કયની દષ્ટિએ ચાર, પાકદાનની દૃષ્ટિએ ચાર, અને પકિકાલની દષ્ટિએ ચાર, એમ બાર પ્રકારના કર્મનું વર્ણન બૌદ્ધોના અભિધર્મમાં અને વિશુદ્ધિમાર્ગમાં સામાન્ય છે, પણ અભિધર્મમાં પાકસ્થાનની દએિ પણ કર્મને ચાર ભેદ અધિક ગણાવ્યા છે. બૌદ્ધોની જેમ પ્રકારની ગણતરી તો નહિ પણ તે તે દ્રષ્ટિએ કમેના સામાન્ય વિચાર ગદર્શનમાં પણ મળે છે. આમ છતાં કર્મના પ્રકારનું વ્યવસ્થિત વર્ગીકરણ એક રીતે નહિ પણ અનેક પ્રકારે જેવું જૈન ગ્રન્થામાં મળે છે તેવું અન્યત્ર દુર્લભ છે, એ સવીકારવું પડે છે.
૧. બૃહદારણ્યક ૩, ૨, ૧૩; પ્રશ્ન ૩૭ ૨, ૫ચમ કર્મગ્રંથ ગા. ૧૫-૭૭, તરવાથું ૮.૨૬ ૩. સાંખ્યકા. ૪૪ ૪. વિઝુદ્ધમષ્મ ૧૭, ૮૮ ૫. યોગસૂત્ર ૨, ૧૪ ગભાષ્ય ૨. ૧૨ ૬, ન્યાયમંજરી ૫૦ ૪૦ર: પ્રશસ્તપાદ પૃ૦ ૬૩૭, ૬૪૩ ૭. પરિણામતાપસ #ારટુ શું વૃત્તિ-રાધાન્ ૨ ટુવમેવ સર્વ વિનિયોગસૂત્ર ૨, ૧૫. ૮. યોગદર્શન ૪, ૭; દીઘનિકાય ૩. ૧, ૨ બુદ્ધચય પૃ૦૪૯૬ ૯. ચોગદર્શન
.૦ ૧૦. અભિધમ્મસ્થ સંગ્રહ ૫.૧૯; વિશુદ્ધિમષ્મ ૧૯, ૧૪-૧૬, આ ભેદ વિશે આગળ કહેવામાં આવશે ૧૧, યોગસૂત્ર ૨. ૧૨-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org