SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સંબંધ ચગદર્શનની પ્રક્રિયા પ્રમાણે આત્મા સાથે નહિ પણ ચિત્ત -અન્તઃકરણ સાથે છે, અને તે અંતઃકરણ એ પ્રકૃતિને વિકાર-પરિણામ છે. સાંખ્ય પણ ગદર્શન જેવી જ માન્યતા ધરાવે છે એ કહેવાની જરૂર રહેતી નથી. પણ સાંખ્યકારિકા અને તેની માઠરવૃત્તિ તથા સાંખ્ય-તર કૌમુદીમાં બંધ-મોક્ષની ચર્ચા પ્રસંગે જે પ્રક્રિયા વર્ણવવામાં આવી છે તેનું જૈન દર્શનની કમની માન્યતા સાથે જે પ્રકારનું સામ્ય છે તે વિશેષરૂપે જ્ઞાતવ્ય છે. સાંખ્યોને મતે પુરુષ તે ફૂટસ્થ છે અને અપરિણમી છે જ્યારે જૈન મતે તે પરિણમી છે, એ ભેદ ધ્યાનમાં રાખવા જેવો છે. વળી સાંખ્યોએ આત્માને ફૂટસ્થ માન્યું એટલે સંસાર અને મોક્ષ પણ પરિણામ પ્રકૃતિમાં જ માન્યા. જ્ઞાન-મોહ-ક્રોધ-આદિ જેને એ આત્મા પરિણમી હોવાથી આત્મામાં માન્યા છે, પણ સાંઓએ તે બધા ભાવોને પ્રકૃતિના ધર્મ માન્યા છે; અને તેથી જ આત્માને બદલે તે તે ભાવાને કારણે બંધમેક્ષ પુરૂષના નહિ, પણ પ્રકૃતિના જ સાંખે એ માનવા પડે. જૈન-તાંગની પ્રક્રિયામાં એ જે ભેદ છે તેને બાદ કરી દઈએ અને પછી સંસાર અને મોક્ષની પ્રક્રિયામાં જેન-સાંખ્યાની માન્યતાની જે સમાન છે તેને વિચાર કરીએ તો જણાશે કે જેન અને સાંખ્ય કર્મક ક્રિયામાં કશો જ ભેદ નથી. જૈનને મને મોહ-રાગ-6ષ એ બધા ભાવને કારણે પૌદ્ગલિક કાર્મણ શરીરને વેગ આત્મા સાથે અનાદિ કાલથી છે અને ભાવ અને કામણ શરીરમાં બીજાંકુરની જેમ કાર્યકારણભાવ છે. એટલે કે એકની ઉત્પત્તિમાં બીજુ કારણ છે અને છતાં બને અનાદિ કાળથી આત્માને સંસર્ગમાં આવેલાં છે. તે બનેમાં કાણું પ્રથમ અને નિર્ણય થઈ શકતો નથી. આ જ પ્રકારે સાંખ્યમતે લિંગશરીર અનાદિ કાળથી પુરુષના સંસર્ગમાં છે. એ લિંગશરીર પણ રાગ-દ્વેષ-મહ જેવા ભાવથી ઉત્પન્ન થયેલું છે અને ભાવ અને લિંગ શરીરને પણ બીજાંકુરની જેમ જ કાર્યકારણભાવ છે. જેને જેમ દારિક-સ્કૂલ શરીરને કાશ્મણ શરીરથી જુદું માને છે તેમ સાંખે પણ લિંગ-સૂક્ષ્મશરીરને સ્થૂળ શરીરવી ભિન્ન માને છે. જેનોને મત સ્થૂલ અને સૂક્ષ્મ અને શરીર પૌદ્ગલિક જ છે તેમ સાંઓને મને પણ એ બનને શરીરે પ્રાકૃતિક જ છે. વળી જેને બનને શરીરને પુદ્ગલના વિકાર માનવા છતાં બનેની વગણ જુદી જુદી માને છે, તે જ પ્રમાણે સાંખે એ પણ એકને તામાંત્રિક તા બીજાને માતા-પિતૃજન્ય કહ્યું છે. જેનેને મતે મૃત્યુ વખતે વિદ્યમાન દારિક શરીર છૂટી જાય છે અને જન્મ વખતે નવું ઉત્પન્ન થાય છે, પણ કાણુ શરીર મૃત્યુ વખતે એક સ્થાનથી બીજા સ્થાનમાં ગતિ કરે છે અને એ રીતે કાયમ રહે છે; તે જ પ્રમાણે સાંખ્યોને મતે પણ માતપિતૃજન્ય-સ્થૂલ શરીર મૃત્યુ વખતે છૂટી જાય છે અને જન્મ વખતે નવું ઉત્પન થાય છે, પણ સિં ગ શરીર તે ટકી રહે છે અને એક સ્થાનથી બીજા સ્થાનમાં જાય છે. જેને મતે અનાદિકાળથી સંબદ્ધ કામણ શરીર મેક્ષ સમયે નિવૃત્ત થઈ જાય છે તે જ પ્રમાણ સાંખ્યમતે પણ મોક્ષ સમયે લિગશરીર નિવૃત્ત થઈ જાય છે.૪ ને મતે કામણ શરીર અને ગજાદિ ભાવ-એ અનાદિ કાળથી સાથે જ છે, એક વિના બીજું ૧. સાંખ્ય) કાઇ પરની માઠરવૃત્તિ અને સાંખ્યતકૌમુદી ૨, સાંખ્યકા. ૩૯ ૩. માઠર-કાવ ૪૪, ૪૦, આ જ વસ્તુ ગદર્શનને પણ માન્ય છે, યોગસૂત્ર-ભાષ્યભાસ્વતી-૨, ૧૩, ૪, માઠરવૃત્તિ. ૪૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy