SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ શક્તિ નથી, પણ જ્યારે એ બન્ને મળે છે ત્યારે જ સોંસારની ઘટના થાય છે. પુરુષ પોતાની શક્તિ જડને ન આપે ત્યાંસુધી જડમાં એ શક્તિ નથી કે શરીર ઇંદ્રિય આદિ રૂપે પરિણત થાય. તે જ રીતે પુરુષમાં પ્રકૃતિની જડ શક્તિ ન મળે તેા તે પણ એકલા એ વિના શરીરાદિનું નિર્માણુ કરવા સમર્થ નથી. અનાદિકાળથી એ બન્નેને સંસગ હોવાથી અનાદિકાળથી સંસારચક્ર પ્રવૃત્ત થયું છે. ખાદ્ધોને મતે સ ંસારમાં નામ અને રૂપ એ વસ્તુના સંસર્ગથી સંસારચક્ર અનાદિકાળથી પ્રવૃત્ત થયું છે. વિરુદ્ધિમગ્ગના કર્તા ખુદુધાષાચાર્યે પણ સાંખ્યપ્રસિદ્ધ એ જ ૫શુ-અંધનું દૃષ્ટાંત આપીને નામ અને રૂપ એ બન્ને કેવાં પરસ્પર સાપેક્ષ થઈને ઉત્પન્ન થાય છે અને પ્રવૃત થાય છેતે બતાવ્યુ છે, અને બન્ને એક બીજાના વિના નિસ્તેજ છે, કશું પણ કરવા અશકત છે, તે સમજાવ્યુ છે.૨ જૈન આચાર્ય કુ ંદકુંદે પણ એ જ રૂપકના આશ્રય લઈને કમ અને જીવનાં પરસ્પર બંધ અને કાય કારિતા વણુ જ્યાં છે. ખરી રીતે એ જ પ્રમાણે ન્યાય-વૈશેષિકાદિ પણ કહી શકે છે કે જીવ અને જડ એ પરસ્પર મળેલા છે અને સાપેક્ષ થઈને જ પ્રવૃત્તિ કરે છે. માટે જ સ ંસારની રથ ગતિમાન થાય છે, અન્યથા નહિ; એકલું જડ કે ચેતન સસારો રથ ચલાવવામાં સમર્થ નથી. સાંસારરૂપી રથનાં જડ અને ચેતન એ બે ચક્રો છે. માયાવાદી વેદાન્તીઓએ અદ્વૈત બ્રહ્મ માન્યા છતાં અનિવર્સનીય માયા સંસારની ટના અસ ંભવિત માની એટલે જ બ્રહ્મ અને માયાના યોગે જ સંસારચક્રની પ્રવૃત્તિ સ્વીકારી છે. આ પ્રમાણે બે વિરોધી પ્રવૃત્તિનાં તત્ત્વાના સંસગ એ જ સંસારચક્રની પ્રવૃત્તિનું કારણ છે. એ બધાં દશ નનું સામાન્ય તત્ત્વ છે. એ એ તત્ત્વાનાં નામમાં ભલે ભેદ હોય, પણ સૂક્ષ્મતાથી વિચારીએ તેા તાત્ત્વિક ભેદ નથી જણાતા. (ૐ) મેાક્ષનું સ્વરૂપ બંધચર્ચા પ્રસંગે કહેવામાં આવ્યુ છે કે અનાત્મમાં આત્માભિમાન એ બંધ છે, એથી ફલિત એ થાય છે કે અનાત્મમાં આત્માભિમાન ટળી જાય એ જ મેક્ષ છે. આ ખાખતમાં બધા દાર્શનિકા એકમત છે પણ એ મેાક્ષનુ સ્વરૂપ કેવું છે અથવા તે મુક્તનું સ્વરૂપ કેવુ` છે એ વિચારવું પ્રાપ્ત છે. એક બાબતમાં બધા દાનિકાની સંમતિ છે કે એ અવસ્થા ઇન્દ્રિયપ્રાથું નથી, વચનગાચર નથી, મનેાગ્રાહ્ય નથી અને તર્ક ગ્રાહ્ય પણ નથી, કટાનિષદમાં સ્પષ્ટ કહ્યું' છે કે વાણીથી મનથી કે ચક્ષુથી એની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. પશુ સૂક્ષ્મ પ્રુદ્ધિથી તે ગ્રાહ્ય છે.૪ સૂક્ષ્મ બુદ્ધિ એ તર્ક પ્રપંચ નથી એ કહેવાની ભાગ્યેજ જરૂર છે.પ પશુ તપ અને ધ્યાનથી એકાગ્ર થયેલ વિશુદ્ધ સત્ત્વ એનું શકે છે, બૌદ્ધમતે પણ નાગસેનના કહેવા પ્રમાણે, નિર્વાણુ છે તા ખરું, પણ સ ંસ્થાન, વય, પ્રમાણુ એ બધુ ઉપમાર્થી, કારણથી, હેતુથી, અથવા તેા નયથી તેમ નથી; જેમ સમુદ્રમાં કેટલુ પાણી છે અને તેમાં ગ્રહણ કરી તેનું સ્વરૂપ બતાવી શકાય ૧. સાંખ્યકારિકા ૨૧. ૨, વિસુદ્ધિ મગ્ન ૧૮, ૩૫. ૧. ૩૪ ૨. ૮, ૯ ૪. ક. ૨, ૬, ૧૨, ૧, ૩. ૧૨ Jain Education International ૩. સમયસાર ૩૪૦-૩ ૪૧, ૬. મુ કાપતિષદ ૩. ૧, ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy