________________
- ૧૦૨
ઉપનિષદસંમત જે વિવિધ સૃષ્ટિ પ્રક્રિયા છે તેમાં જીવની સત્તા જ સર્વત્ર અનાદિ સિદ્ધ નથી તો પછી આત્મ-અનાત્મના સંબંધને અનાદિ કહેવાની વાત જ કયાંથી હોય ? અને કર્મસિદ્ધાંત પ્રમાણે તે આત્મ-અનાત્મનો સંબંધ અનાદિ માનવો એ અનિવાર્ય છે. એ જો માનવામાં ન આવે તો કર્મસિદ્ધાન્તની માન્યતા જ અર્થ વગરની થઈ જાય છે. એ જ કારણ છે કે ઉપનિષદના વ્યાખ્યાતાઓમાં -શંકરને બ્રહ્મ અને માયાને સંબંધ અનાદિ માનવો પડયો છે; ભાસ્કરાચાર્ય માટે સત્ય એવી ઉપાધિને બ્રહ્મ સાથે સંબંધ અનાદિ માન્યા સિવાય બીજો રસ્તો રહ્યો નહિ; અને રામાનુજને બદ્ધ છવને અનાદિકાલથી જ બદ્ધ માન્યા સિવાય ચાલ્યું નહિ. નિબાર્ક અને મવે, પણ અવિદ્યા અને કર્મને કારણે જીવને સંસાર માન્ય છે, અને તે અવિદ્યા અને કર્મ અનાદિ જ છે, એ કહેવાની જરૂર નથી. વલ્લભને મને પણ બ્રહ્મ અનાદિ તેમ તેનું કાર્ય જીવ પણ અનાદિ એટલે જીવ અને અવિદ્યાનો સંબંધ પણ અનાદિ જ છે.
સાંખ્યને મને પણ પ્રકૃતિ અને પુરુષને સંયોગ એ જ બંધ છે અને તે અનાદિ કાળથી ચાલ્યા આવ્યો છે. પ્રકૃતિનિરૂન લિંગશરીર એ અનાદિ છે અને તે પુરુષની સાથે અનાદિકાળથી સંબદ્ધ છે.૧ બીજા દાર્શનિકે બંધ અને મેક્ષ પુરુષને છે. એમ કહે છે, પરંતુ સાંખ્યને મતે બંધ અને મોક્ષ એ પ્રકૃતિના કહેવાય છે, પુરુષને નહિ ?
આ જ પ્રમાણે યોગદર્શનને મને પણ દ્રષ્ટા-પુરુષ અને દશ્ય-પ્રકૃતિને અનાદિકાલિક જે સંગ છે તેને જ બંધ સમજવો જોઇએ.
બૌદ્ધદર્શનમાં પણ નામ અને રૂપને જે અનાદિ સંબંધ છે તે જ સંસારબંધ છે અને તેને વિયોગ તે જ મેક્ષ છે.
અને જૈનમતે પણ જીવ અને કર્મ પુદ્ગલને જે અનાદિકાલીન સંબંધ છે તે જ બંધ છે અને તેને વિયોગ તે મોક્ષ છે.
આ પ્રમાણે સાંખ્ય, જૈન, બૌદ્ધ અને પૂર્વોક્ત ન્યાય વૈશેષિકાદિ એ બધાએ જીવ અને જડને સંગ અનાદિ કાલથી માન્ય છે અને તે જ સંસાર કે બંધ છે.
જીવ શરીર સંબંધ અનાદિ છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેને અર્થ એ છે કે પરંપરાથી અનાદિ છે. જીવ નવાં નવાં શરીર ગ્રહણ કરે છે. કયારેક તે શરીર વિનાનો હતો નહિ. એ જ તાત્પર્ય છે. પૂર્વ પૂર્વ વાસનાને લઈને નવા નવા શરીરની ઉત્પત્તિ થાય છે અને શરીર થયા પછી પાછી નવી નવી વાસના ઉત્પન્ન થાય છે. એ વાસના પાછું નવું શરીર ઉત્પન્ન કરે છે. એમ એ બને બીજંકુરની જેમ જીવ સાથે અનાદિ છે. અનાદિ અવિદ્યાને કારણે જે અનાત્મમાં આત્મપ્રહણ છે તેને કારણે તૃષ્ણ-રાગ બાહ્ય વિષયમાં જન્મે છે અને એથી જ એ સંસારપરંપરા ચાલુ રહે છે. અવિદ્યાને નિરોધ થઈ જાય તો બંધન કપાઈ જાય છે અને પછી તૃષ્ણાને અવકાશ રહેતો નથી, એટલે નવું ઉપાદાન થતું નથી અને સંસારના મૂળમાં કુઠારાઘાત થવાથી તે વિનષ્ટ થઈ જાય છે.
સંસારચક્રનું પ્રવર્તન જડ ચેતન એ બેના સંયોગથી જ થાય છે એ વસ્તુ સાંખેએ પંગુ અને અંધના કપ્રસિદ્ધ ઉદાહરણથી સિદ્ધ કરી છે. એકલા પુરુષમાં કે એકલી પ્રકૃતિમાં સંસારનિર્માણની
૧. સાંખ્યાકાર પર ૨. સાંખ્યાકાર દર ૩. ચોગદર્શન, ૨. ૧૭. ગભાષ્ય ૨, ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org