SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ માનના સમાવેશ થાય છે અને એ રાગ અને દ્વેષના મૂળમાં પણ મેહ છે એમ અન્ય દાર્શનિકાની જેમ જૈનાગમમાં પણ કહેવામાં આવ્યુ' છે.૨ આ પ્રમાણે મિથ્યાત્વ-મિથ્યાજ્ઞાન-મેાહ-વિષય-અવિદ્યા એવા વિવિધ નામે પ્રસિદ્ધ અનાત્મમાં આત્મદ્ધિ એ જ બંધનું કારણ છે એવા બધાં દનાના એકમત છે, અને બધાંને મતે એ જ કારણને નાશ થવાથી આત્મામાં મેાક્ષની સંભાવના છે, અન્યથા નહિ મુમુક્ષુએ કરવાનુ સર્વ પ્રથમ એ જ ક્રે અનાત્મમાં આત્મબુદ્ધિનો નાશ કરવા. (૬) મધ એ શુ છે ? આત્મા-જીવતત્ત્વ અને અનાત્મા-અજીવતત્ત્વ એ બન્ને જુદાં છતાં તેમને જે વિશિષ્ટ સ ંયોગ થાય છે તે જ બુધ છે; એટલે કે જીવનેા શરીર સાથે જે સયાગ છે તે જ તેના બંધ છે. જ્યાં સુધી એ શરીરે છૂટી ન જાય ત્યાંસુધી જીવને સર્વથા મેક્ષ ઘટી શકતા નથી. મુક્ત જીવાને પણ અજીવજડ-પદાર્થ સાથે-પુદ્ગલ પરમાણુઓ સાથે સ ંયોગ તા છે છતાં પણ તેમના તે સ ંયોગ ખંધ નથી કહેવાતા, કારણ કે મુક્તોમાં-બંધનું કારણ મેહ-અવિદ્યા-મિથ્યાત્વ વિદ્યમાન નથી, એટલે તેએના જડ સાથે સયેાગ છતાં એ જડ પદાર્થાને શરીરાદરૂપે તેઓ પેાતાના બનાવી નથી લેતા. પરંતુ જે જીવમાં અવિદ્યા કાયમ છે તે જડ પદાર્થને પેાતાના શરીરરૂપે ગ્રહણ કરે છે તેથી જડ અને જીવાએ વિશિષ્ટ સંયાગ તે જ બંધ કહેવાય છે. સામાન્ય રીતે જીવને માનનારા બધાને મતે ખંધની આવી જ વ્યાખ્યા છે. આત્મ-અનાત્મ એ એના ખંધ કયારથી થયા છે એ પ્રશ્નના વિચાર કતત્ત્વના વિચાર સાથે સંકલિત છે. કમ તત્ત્વ વિશેના માત્ર સામાન્ય વિચાર કે સારા કર્મનું સારું ફળ અને નઠારા કનુ નહારુ ફળ મળે છે-એ રૂપમાં ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે; પણુકતત્ત્વ એ શું છે અને તે તે પ્રકારનું ફળ કેવી રીતે આપે છે અને એ કર્યું આત્મા સાથે કયારથી સંબંધમાં આયું તે બધા વિચાર ઉપનિષદનું જે તત્ત્વજ્ઞાન છે એની સાથે સુમેળ કરીને ગેાઠવાયા હેાય એવું પ્રાચીન ઉપનિષદમાં નથી, એમ કાઈ પણ પ્રાચીન ઉપનિષદોના અધ્યેતાને જણાયા વિના રહેશે નહિ. કને લગતા એ વિચાર જુદી જ પરંપરામાંથી ઉપનિષદેશમાં આવ્યે છે અને તે વિશે હજી ઔપનિષદ તત્ત્વજ્ઞાન સાથે વિશેષ સંગતિ બેસાડવાનું કાર્ય ચાલુ છતાં અધૂરું છે એમ લાગ્યા વિના રહેતું નથી. આ વિશે વિશેષ વિચાર ક વિશેના પ્રકરણમાં જ કરવામાં આવશે. અહીં તા એટલું જ કહેવાનું પ્રાપ્ત છે કે જગતને ઈશ્વરકૃત માનવા છતાં પણ ન્યાય—વૈશેષિક દતાએ પણ સંસારને અનાદિ માન્ય છે, ચેતન અને શરીરના સબંધ પણુ અનાદિ જ માન્યા છે.૩ એટલે કે આત્મ-અનાત્મના બંધ તેમને મતે અનાદિ છે. પણ ૧. વૈહિ અળદ્દેિ વાવમાં વધતિ...રામેળ àમેળ ય। રામે સુવિદ્દે વળત્તે...માયા ય છેમે ચ કેમે યુવિષે... હે ય માળે ચ' સ્થાનાંગ ૨. ૨. ઉત્તરા૦ ૩૨, ૭. ૩. અનાસ્થિતનસ્ય શરીરચે, અનશ્ચિ રામાનુષમ્ય રૂતિ'' ન્યાયમા૦ ૩. ૧. ૨૫, વ ાનિ સ સારાડપવન્તિઃ'' ન્યાયવા૦ ૩. ૧ ૨૭માËિતનસ્ય શરીરયો: ન્યાયવા૦ ૩, ૧, ૨૮, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy