SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ છે. અનાત્મવાદી બૌદ્ધો સુદ્ધાં એ વસ્તુને સવીકાર કરે છે. ભેદ એ છે કે આત્મવાદીઓને મતે આત્મા એ સ્વતંત્ર શાશ્વત વસ્તુ સત છે અને પૃદવી આદિ તત્ત્વથી નિમિતે શરીરાદિથી જ છે, છતાં શરીરાદિને જે આમાં માનવામાં આવે છે તે મિથ્યાજ્ઞાન છે; જ્યારે બૌદ્ધોને મતે આત્મા જેવી સ્વતંત્ર શાશ્વત વસ્તુનું અસ્તિત્વ નથી, છતાં શરીરાદિ અનાત્મામાં જે આત્મબુદ્ધિ થાય છે તે મિથ્યાજ્ઞાનમેહ છે.' અનાત્મ દેહાદિને આત્મા માનવો એને છાગ્યમાં અસુરેનું જ્ઞાન કહ્યું છે અને તેથી આત્મા પરવશ બની જાય છે તેમ જણાવ્યું છે. આનું જ નામ બંધ છે. પણ સર્વ સારોપનિષદમાં તો સ્પષ્ટપણે કહ્યું છે કે અનાત્મ એવા દેહાદિમાં જે આત્મત્વનું અભિમાન કરવું તે બંધ છે અને તેની નિવૃત્તિ તે મોક્ષ છે. ન્યાયદર્શનના ભાગ્યમાં જણાવ્યું છે કે મિથ્યાજ્ઞાન એ જ મોહ છે; અને તે માત્ર તત્વજ્ઞાનની અનુત્પત્તિરૂપ નથી, પણ શરીર, ઇન્દ્રિય, મન, વેદના અને બુદ્ધિ એ બધાં અનાત્મા છતાં તેમાં આત્મપ્રહ એટલે કે અહંકાર-એ હું જ છું, એવું ભાન કરવું તે જ મિથ્યાજ્ઞાન-મેલ છે. આ જ વસ્તુ વિશેષિકેને પણ સંમત છે.૪ સાંખ્યાદર્શનમાં વિપર્યયથી બંધ કહ્યો છે, અને વિપર્યય એ જ મિથ્યાજ્ઞાન છે. એ મિશ્યાનાનથી જે બંધ થાય છે તે ત્રણ પ્રકારને છે એમ સાંખે માને છે. પ્રકૃતિને આત્મા માનીને તેની ઉપાસના કરવી તે પ્રાકૃતિક બંધ છે, ભૂત-ઈન્દ્રિય-અહંકાર-બુદ્ધિ એ વિકારોને જે આત્મા માનીને ઉપાસના કરે છે તેને વૈકારિક બંધ છે, અને ઇષ્ટ-આપૂર્તિમાં જે સંલગ્ન છે તેને દક્ષિણક બંધ છે. સારાંશ એ છે કે સાંખ્યો પણ અનાત્મમાં આત્મબુદ્ધિ કરવી તેને જ મિથ્યાજ્ઞાન કહે છે. એગદર્શનમાં પણ કલેશો એ સંસારના મૂળમાં છે એટલે કે બંધનું કારણ છે અને બધા કલેશનું મૂળ અવિદ્યા છે. સાંખ્યો જેને વિપર્યય કહે છે,૮ ગદશન તેને કલેશ છે. ગદર્શનમાં અવિદ્યાનું લક્ષણ કર્યું છે કે અનિત્ય, અશુચિ, દુઃખ અને અનામ વસ્તુમાં નિત્ય, શુચિ, શુભ અને આત્મબુદ્ધિ કરવી તે અવિદ્યા છે.' જૈનદર્શનમાં બંધકારણની ચર્ચા બે પ્રકારે કરવામાં આવી છે. એક શાસ્ત્રીય અને બીજી લૌકિક. શાસ્ત્રીય પ્રકાર કર્મ શાસ્ત્રમાં જે બંધનાં કારણોની ચર્ચા કરવામાં આવી છે તે છે. કર્મશાસ્ત્રમાં કષાય અને યોગ એ બને બંધનાં કારણ તરીકે જણાવ્યા છે. એને જ વિસ્તાર કરીને મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ એ ચાર અને કવચિત તેમાં પ્રમાદ મેળવીને પાંચ કારણે ગણાવ્યાં છે. ૧૦ આમાં જે મિથ્યાત્વ છે તે જ અન્ય દર્શનમાં મેહ-અવિદ્યા-મિથ્યાજ્ઞાન-અજ્ઞાનને નામે પ્રસિદ્ધ છે. લકાનુસરણ કરીને જૈનાગમમાં રાગ, દ્વેષ અને મેહ એ ત્રણને પણ સંસારનું કારણ કહેવામાં , આવ્યા છે.૧૧ પૂર્વોક્ત કષાયના ચાર ભેદ છે : કૈધ, માન, માયા અને લેભ. તે ચારેને સમવય રાગ અને દ્રષ એ એમાં પણ કરવામાં આવ્યો છે. તેમાં રાગમાં માયા અને લાભને અને દંષમાં કેધ અને ૧. સુત્તનિપાત ૩, ૧૨, ૩૩; વિશુદ્ધિમગ્ન ૧૭, ૩૦૨ ૨. છા-દોગ્ય ૮ ૮, ૪-૫ ૩. “અનાત્મનાં ઢાઢીનામામનામિત્તે સેમિમાનઃ અાત્મને વ: | નિવૃત્તિ લ:”-સર્વાસારોપનિષદ ૪. ન્યાયભાષ્ય ૪ ૨, ૧; પ્રશસ્તપાદ પૃ. ૫૩૮ (વિપર્યય નિરૂપણ) ૫. સાંખ્યકા. ૪૪ ૬. જ્ઞાનસ્થ વિથોડજ્ઞાનમ માઠરવૃત્તિ ૪૪ ૭. સાંખ્યતત્ત્વકામુદી ક. ૪૪ ૮. યોગદર્શન ૨, ૩, ૨.૪ ૯. યોગદર્શન ૨.૫ ૧૦ તત્વાર્થસૂત્ર વિવેચન (પં. સુખલાલજી) ૮.૧ ૧૧, ઉત્તરાધ્યયન ૨૧, ૧૯; ૨૩, ૪૩. ૨૮. ૨૦ ૨૯. ૭૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy