________________
૯૮
પ્રદેશ નથી જ્યાં જવાથી મનુષ્ય પાપના મૂળથી ખસી જાય' ઇત્યાદિ, તે પણ સ ંતતિની અપેક્ષાએ જ ત્વ અને ભાતૃત્વને સ્વીકારીને જ છે, અન્યથા નહિ.
અને બુદ્ધે જે પેાતાને વિશે કહ્યું છે કે—
इत एकनवतिकल्पे शक्त्या मे पुरुष हतः । तेन कर्म विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥
આજથી એકાણુમાં કલ્પમાં મેં મારી શક્તિથી પુરુષને માર્યા હતા એ કર્મીના વિપાકને લઈને આજે મારા પગમાં વાગ્યું છે-ઇત્યાદિ-તેપણુ શાશ્વત આત્માની અપેક્ષાએ નહિ, પશુ સ ંતતિની અપેક્ષાએ સમજવું જોઈએ.
બૌદ્ધોને મતે કતૃત્વ એટલે શું એ પણ સમજી લેવુ જોઈએ. કુશલ કે અકુશલ ચિત્તની ઉત્પત્તિ એ જ કુશલ કનુ કર્તૃત્વ છે. તેમને મને કર્તા અને ક્રિયા એ ભિન્ન નથી, પણ એક જ છે. ક્રિયા તે જ કર્તા છે અને કર્તા એ જ ક્રિયા છે. ચિત્ત અને તેની ઉત્પત્તિમાં કશા જ ભેદ નથી. એ જ પ્રમાણે ભેાકતૃત્વ વિશે પણ સમજી લેવું, ભેગ અને ભક્તા એ ભિન્ન નથી પણ દુ: ખવેદના-રૂપે ચિત્તોત્પત્તિ એ જ ચિત્તનું ભાકતૃત્વ છે. આથી જ બુદ્ધષે કહ્યું છે કે કર્માંના કાઈ કારક નથી અને વિપાકના કાઈ વૈદક નથી, પણ શુદ્ધ ધર્માંની પ્રવૃત્તિ છે.
(ૐ) જૈનમત
જૈન આગમમાં પણ જીવનું કર્તૃત્વ અને ભેાકતૃત્વ વર્ણવવામાં આવ્યું છે. ઉત્તરાધ્યનના-૧મા ળાળવિા ટ્ટ' (૩-૨) નાના પ્રકારના કર્મો કરીને; હજ્જા માળ ન મારવુ મસ્ત્યિ' (૪૩; ૧૩,૧૦) કરેલાં કમેનૅિ ભોગવ્યા વિના છૂટકારા નથી; ત્તારમેય અનુગાદમ' (૧૩.૨૨)-કર્મ કર્તાનું અનુગમન કરે છે, ઇત્યાદિ વાર્કા જીવનું કર્તૃત્વ અને ભકતૃત્વ અસ ંદિગ્ધરૂપે સૂચવે છે પણ જેમ આપણે ઉપનિષદમાં જોયું કે જીવાત્માને કર્તા અને ભક્તા કહ્યા છતાં તેમાં પરમાત્માને તેથી ય કહ્યો છે, તેવી જ રીતે જૈન આચાર્ય કુન્દકુન્દે છત્રનુ ક ક વ અને કર્મ ભાકતૃત્વ એ વ્યવહારદષ્ટિએ સમજવાનું છે. અને નિશ્રયષ્ટિએ જીવ કર્માં ના કર્તા પણ નથી અને ભોક્તા પણુ નથી એમ સ્પષ્ટીકરણ કર્યુ છે. આ વસ્તુને ઉપનિષદની ભાષામાં કહેવી હોય તેા કહી શકાય કે સ સારી જીવ કર્મીના કર્તા છે, પણ શુદ્ધ જીવ કર્માંના કર્તા નથી,
ઉપનિષદને મતે પશુ સંસારી અને પરમાત્મા એક જ છે અને જૈનમતે પણ સંસારી અને શુદ્ધ જીવ એક જ છે. તેમાં ભેદ હાય તા એટલે જ છે કે ઉપનિષદને મતે પરમાત્મા એક જ છે, પણુ જૈનમતે શુદ્ધ જીવા અનેક છે. પણ એ ભેદનું વિસર્જન જૈનસ મત સ ંગ્રહનયને મતે થઈ જાય છે. શુદ્ધ જીવા ચતન્યસ્વરૂપે એક જ છે એમ જૈનસ મત સગ્રહનય સ્વીકારે છે. અને જ્યારે અહી આપણે ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને જે કહ્યું છે કે ભવિષ્યમાં આપણે એક જેવા થવાના છીએ એને યાદ કરીએ છીએ ત્યારે નિર્વાણ અવસ્થામાં અનેક જીવાનુ અસ્તિત્વ માનવા છતાં અદ્વૈત
૧. ધમ્મ૫૬ ૧૨૭ ૨. વિસુદ્ધિમગ્-૧૯.૨૦ આ વિશે વિશેષ વિચાર ભ. યુદ્ધના અનાત્મવાદ' એ મથાળા નીચે કરવામાં આવ્યા છે. વળી જુએ ન્યાયાવતા૨૦ ઢિ પૃ૦ ૧૫૨ ૩, સમયસાર ૯૩, ૯૮-થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org