________________
૯૬
(મા) દાર્શનિકોના મત
ઉપનિષદના આ પરમાત્માના વધુ નને નિરીશ્વર સાંખ્યાએ પુરુષમાં માન્યું છે અને પરમાત્માની જેમ જીવાત્મા-પુરુષને અકર્તા અને અભેાક્તા માન્યા છે. સાંખ્યમતે પુરુષ-વ્યતિરિક્ત કેાઈ પરમાત્મા હતા જ નહિ તેથી તેણે પરમા માના ધર્મનું પુરુષમાં જ આરાપણુ કરીને પુરુષને જ અકર્તા અને અભોક્તા કહીને માત્ર દ્રષ્ટારૂપે સ્વીકાર્યો છે.
તેથી વિપરીત તૈયાયિક–વૈરોષિકાએ આત્મામાં કતૃત્વ અને ભોકતૃત્વ બન્ને ધર્માં સ્વીકાર્યાં છે, એટલુ` જ નહિ, પણ પરમાત્મામાં પણ જગકર્તૃત્વ સ્વીકાર્યું છે. ઉપનિષદોએ પ્રજાપતિમાં સ્વીકાર્યું હતું જ, તેને જ નૈયાયિક-વૈશેષિકાએ પરમાત્માનેા ધર્મ માની લીધેા.
જગકર્તૃ વ
નૈયિક વૈશેષિકાને મતે આત્મા એકરૂપ નિત્ય છતાં તેમાં કર્તૃત્વ અને ભાકતૃત્વ એવા ક્રમિક ધર્મ કેવી રીતે ઘટે? જો તે કર્તા હાય તા કર્તા જ રહે અને ભોક્તા હાય તા ભાક્તા જ રહે; પણ પ્રથમ કર્તા એ પછી ભોક્તા એમ એકરૂપ વસ્તુમાં શી રીતે ઘટે? આ પ્રશ્નના ઉત્તરમાં તૈયાયિકવૈશેષિકાએ કતૃત્વ અને ભેાકતૃત્વની જે વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે : આત્મદ્રÄ નિત્ય હતાં તેમાં જ્ઞાન, ચિકીર્ષા, અને પ્રયત્નના જે સમવાય છે તે કવ છે, અર્થાત્ આત્મામાં જ્ઞાનાદિના સમવાય સંબધ થવા તે કત્વ છે, એટલે કે આત્મામાં જ્ઞાનાદિની ઉત્પત્તિ જે થાય છે તે જ તેનું કતૃ વ કહેવાય છે. આત્મા સ્થિર છતાં તેમાં જ્ઞાનના સબંધ થાય છે અને જ્ઞાનને સ ંબંધ છૂટી જાય છે; એટલે કે જ્ઞાન પોતે જ ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે, આત્મા તે1 એમ ને એમ સ્થિર રહે છે. એ જ પ્રકારે ભકતૃત્વની વ્યાખ્યા કરી છે કે સુખ અને દુઃખના સંવેદનના સમવાય થવા તે ભાકતૃત્વની વ્યાખ્યા કરી છે કે સુખ અને દુ:ખના સ ંવેદનના સમવાય થવા તે ભાતૃત્વ છે. આત્મામાં સુખને અનુભવ અને દુ:ખના જે અનુભવ છે તે ભેાકતૃત્વ છે. એ અનુભવ પણ જ્ઞાનરૂપ હોવાથી તે આત્મામાં ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, છતાં આત્મા વિકૃત થતા નથી ઉત્પત્તિ વિનાશ એ અનુભવના છે, આત્માના નથી. માત્ર એ અનુભવના સમવાય સબંધ આત્મામાં હોવાથી તેને ભક્તા કહેવાય છે, તે સંબંધ છૂટી જાય ત્યારે ભેક્તા નથી કહેવાતેા. એમને મતે દ્રવ્ય અને ગુણને ભેદ છે એટલે ગુણમાં ઉત્પત્તિ વિનાશ હેવા છતાં દ્રવ્ય નિત્ય રહી શકે છે. એથી વિપરીત જૈન વગેરે જેએ જીવને પરિણામી માને છે તે બધાને મતે આત્માની તેા જુદી જુદી અવસ્થાએ હોવાથી તેમાં એકરૂપતા સદા નથી. તે જ આત્મા કર્તારૂપે પરિણત થઇને ભોક્તારૂપે પરિણત થાય છે. કર્તારૂપ પરિણામ અને ભોક્તારૂપ પરિણામ એ ભિન્ન છતાં આત્માને અન્વય તેા બન્નેમાં છે તેથી એક જ આત્મા કર્તા અને ભોક્તા કહેવાય છે. એ જ વસ્તુને નૈયાયિકા બીજી રીતે કહે છે કે એક જ આત્મામાં વસ્તુન્નાનને પ્રથમ સમવાય થાય છે એટલે તેને કર્તા કહેવામાં આવે છે અને તે જ આત્મામાં પછી સુખાદિ સ ંવેદનનેા સમવાય થાય છે તેથી તેને ભોક્તા કહેવામાં આવે છે.
(s) બૌદ્રમત
અનાત્મવાદી-અશાશ્વતઃમવાદી બૌદ્ધો પણ પુદ્ગલને કર્તા અને ભોક્તા માને છે. તેમને મતે ૧. મૈત્રાયણી, ૨, ૬ ૨. જ્ઞાનવિધ પ્રચનાનાં સમવાય: ચતૃત્વમ્ ન્યાયવાતિ ક ૩, ૧ ૬. ન્યાયમ’જરી ૩. સુવુલસ વિસમવાયો માતૃ’મૈં ન્યાયવા૦ ૩, ૧. ૬,
પૃ. ૪૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org