________________
૯૫
જીવનું કર્તુત્વ અને ભકતત્વ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ સાથેની ચર્ચામાં (ગા. ૧૫૬૭-૬૮) અને ફરી દશમા ગણધર મેતાર્ય સાથેની ચર્ચામાં પણ (ગા) ૧૯૫૭) જીવના કર્તૃત્વ અને ભકતૃત્વની ચર્ચા છે એટલે એ બાબતમાં વિશેષ વિચાર કરીએ તો અસ્થાને નથી. આત્મવાદી બધાં દર્શને એ ભકતૃત્વ તો માન્યું જ છે, પણ કતૃત્વ વિશે માત્ર સાંખ્યને મતભેદ છે. તે આત્માને કર્તા નહિ પણ ભેકતા માને છે, અને ભકતૃત્વ પણ ઔપચારિક માને છે." (a) ઉપનિષદનો મત
જીવનું કર્તુત્વ અને ભકતૃત્વ ઉપનિષદોમાં પણ જોવા મળે છે. વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે એ જીવાત્મા ફલ માટે કર્મને કર્તા છે અને એ કરેલા કર્મને જોતા પણ છે. વળી તેમાં જણાવ્યું છે કે જીવ એ વસ્તુતઃ નથી સ્ત્રી કે નથી પુરૂષ કે નથી નપુંસક, પણ પોતાના કર્મને અનુસરીને તે જે જે શરીરને ધારણ કરે છે તે તે શરીર સાથે સંબંધ પામે છે. સંક૯૫, વિષયોને સ્પર્શ, દૃષ્ટિ અને મેહ વડે તેમ જ અન્ન-જળ વડે શરીરની વૃદ્ધિ અને જન્મ થાય છે. દેહયુક્ત બનેલો જીવ પોતાના કર્મ અનુસારે શરીરને જુદાં જુદાં સ્થાનોમાં ક્રમપૂર્વક પ્રાપ્ત કરે છે અને તે કર્મ અને શરીરના ગુણે અનુસાર દરેક જન્મમાં જુદો પણ દેખાય છે. બૃહદારણ્યકના બg વૈ પુષ્યન જર્મના મતિ, TIT: પપે' (૩, ૨. ૧૩)-સારાં કામ કરનાર સારો થાય છે અને નઠારાં કામ કરનાર નઠારે થાય છે; 'यथाकारी यथाचारी तथा भवति, साधुकारी साधुभवति, पापकारी पापो भवति, पुण्यः पुण्येन कर्मणा भवति, पापः पापेन । अथा खल्वाहुः काममय एवायं पुरुष इति स यथाकामा भवति तत्क्रतुर्भवति तत्कर्म कुरुते,
*ર્મા સુતે, તમિi nતે', (૪. ૪. ૫)-માણસ જેવું કામ કરે છે ને જેવું આચરણ રાખે છે તે તે બને છે, સારું કામ કરનારો સારો બને છે, પાપનું કામ કરનાર પાપી બને છે, પુણ્યના કામથી પુણ્યશાળી બને છે અને પાપના કામથી પાપી થાય છે. તેથી જ કહ્યું છે કે માણસ કામનાઓને બને છે. જેથી તેની કામના હોય, તો તે નિશ્ચય કરે; જેવો નિશ્ચય કરે તેવું કામ કરે; જેવું કામ કરે તેવું ફળ મેળવે.’ આવાં વાકયો જીવાત્માનું કર્તૃત્વ અને ભકતૃત્વ સૂચવે છે.
પણ એ છવામાં જેને અંશ છે એ બ્રહ્મ કે પરમાત્માને તે ઉપનિષદોએ અકર્તા અને અભક્તા કહ્યો છે માત્ર તે પોતાની લીલાને દ્રષ્ટા મનાય છે–તે આ પ્રમાણે : “આ આમાં જાણે કે શરીરને વશ થયે હેાય અને જાણે કે શુભાશુભ કર્મના ફળ વડે બંધાઈ ગયો હોય, તેમ જુદાં જુદાં શરીરમાં સંચાર કરે છે, પરંતુ ખરું જોતાં તે અશક્ત સૂક્ષ્મ, અદશ્ય, અમાહ્ય અને મમતારહિત છે; તેથી તે બધીય અવસ્થાઓથી રહિત છે; તેનામાં કર્તાપણું ન હોવા છતાં તે કર્તારૂપે રહ્યો હોય એમ જણાય છે. એ આત્મા શુદ્ધ, સ્થિર, અચલ, આસક્તિ વિનાને, દુ:ખ વિનાને, ઈરછારહિત, દ્રષ્ટી જે રહેલે છે અને પોતાનું કર્મ ભગવતો હોય તેવો દેખાય છે; તેમ જ ત્રણ ગુણારૂપી વસ્ત્ર વડે પિતાના સ્વરૂપને ઢાંકી દેતા હોય તેમ રહેલે જણાય છે.*
૧. આને મળતો વાદ ઉપનિષદમાં પણ છે. જુઓ મિત્રાયણી ૨. ૧૦-૧૧; સાંખ્યાકારિકા ૧૯. ૨, તાવેતર ૫. ૭. 3, વેતાશ્વતર ૫. ૧૦-૧૨, ૪. મૈત્રાયણી ૨, ૧૦, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org