SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ઉપાધિ” કહેવામાં આવે છે. આ ઉપાધિના સબંધને કારણે બ્રહ્મજીવરૂપે પ્રકટ થતુ હ।ઈ બ્રહ્મનું ઔપાધિક સ્વરૂપ એ જીવ છે એમ માનવું જોઈએ. આ પ્રકારે જીવ અને બ્રહ્મને વસ્તુત: અભેદ છતાં જે ભેદ છે તે ઉપાધિમૂલક છે, પણ જવ એ બ્રહ્મના વિકાર નથી, નિરુપાધિક હોય ત્યારે બ્રહ્મ કહેવાય અને સાપ્તાધિક હોય ત્યારે જીવ કહેવાય, બ્રહ્મનાં સાપાધિક રૂપે અનેક હાવાથી અનેક જીવાની ઉપપત્તિ ઘટી જાય છે. ઉપાધિને સત્ય માનતા હોવાથી અને એ જ ઉપાધિને કારણે જગત અને અનેક જીકેની ઉત્પત્તિ કરતાં હોવાથી ભાસ્કરાચાર્યના મતને ‘સત્યે પાધિવાદ' કહેવાય છે. આથી ઊલટુ શંકરાચાય ઉપાધિને મિથ્યા કહેતા હોવાથી તેમના વાદ “માયાવાદ” કહેવાય છે. ભાસ્કરા ચાને મતે બ્રહ્મની પરિણામશક્તિ-ભોગ્યશક્તિ વડે કરીને બ્રહ્મ જગતરૂપે પરિણત થાય છે એથી જગત સત્ય છે, મિથ્યા નથી. આ પ્રકારે જગતને વિશે શંકરના વિત્રતવાદને બદલે પ્રાચીન પરિણામવાદનુ સમર્થન ભાસ્કરાચાર્યે કર્યું છે. અને તેનું જ અનુકરણ પછીના રામાનુજાચાર્ય આદિ અન્ય આચાર્યોએ પણ કર્યું છે. (૩) રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતવાદ—રામાનુજને મતે પરમાત્મા બ્રહ્મ કારણ અને કા બન્ને છે. સૂક્ષ્મ વિદ્ અને અચિી વિશિષ્ટ બ્રહ્મ એ કારણ છે અને રથૂલ વિદ્ અને અચિી વિશિષ્ટ બ્રહ્મ એ કાર્ય છે. અને એ બન્ને વિશિષ્ટાનું અકય માનતા હોવાથી રામાનુજાચાર્યના મતને વિશિષ્ટાદ્વૈત' કહેવાય છે, કારણ દ્મ પરમાત્માના સૂક્ષ્મ ચિદ્રુપનાં વિવિધ સ્થૂલ પરિણામે તે અનેક જીવા છે અને પરમાત્માનું સૂક્ષ્મ અદ્રિપ તે સ્થૂલ જગકૂપે પરિણમે છે. રામાનુજને મતે જીવે અનેક છે, નિત્ય અણુપરમાણુ છે. જીવે અને જગત એ પરમાત્માનું કાય-પરિણામ હોવાથી મિથ્યા નથી પણ સત્ય છે. મુક્તિમાં જીવ પરમાત્મા જેવા બનીને તેના સાંનિધ્યમાં રહે છે. આમ જીવ અને પરમાત્મા બન્ને જુદા અર્થાત્ એક કારણુ અને એક કાર્ય છતાં કાર્યને કારણનું જ પરિણામ માનતા હોવાથી બન્નેનુ અદ્ભુત છે એમ રામાનુજ માને છે. સ્વરૂપે (૪) નિસ્ખા સ ંમત દ્વૈતાદ્વૈત-ભેદાભેદવાદ-આચા નિમ્યા ને મતે પરમાત્માનાં બે છેઃ ચિત્ અને અચિત્ એ બંને સ્વરૂપે! પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જેમ વૃક્ષ અને પત્ર, પ્રદીપ અને પ્રકાશ એમાં ભેદાભેદ છે, તેમ પરમાત્મામાં પણ ચિદ્ અને અચિત્ બન્નેના ભેદાભેદ છે. જગત એ પરમાત્માની શક્તિનું પરિણામ છે એટલે તે સત્ય છે, અને જીવ એ પરમાત્માને અશ મનાયેા છે. અને અશ અશીને ભેદાભેદ છે, એવા જીવા અનેક છે, તે નિત્ય છે, અણુ છે; જીવનેા સંસાર અવિદ્યા અને કર્માંને લીધે છે. રામાનુજની જેમ મુક્તિમાં પણ જીવ અને પરમાત્માના ભેદ છે, છતાં તે પેાતાને પરમાત્માથી અભિન્ન સમજે છે. ' (૫) મવાચાય નો ભેદવાદ—વેદાન્તદર્શન હેાવા છતાં મધ્વાચાર્યનું દર્શન વસ્તુઃ અદ્વૈતી નથી, પણ હૈતી છે. રામાનુજ્રયા વગેરેએ બ્રહ્મનુ પરિણામ જગતને માન્ય છે, એટલે કે બ્રહ્મને ઉપાદન કારણ માન્યું છે અને એ રીતે અદ્વૈતની રક્ષા કરી છે; પણ મધ્વાચાર્યે તા પરમાત્માને નિમિત્ત કારણ માનીને પ્રકૃતિને ઉપાદાન કારણુ કહ્યું છે. જીવેને પણ રામનુજાચાર્ય આદિએ પરમા માના જ કાર્ય –પરિણામ અંશ ઇત્યાદિ રૂપે માનીને બન્નેના અભેદ સ્વીકાર્યાં છે; પણ મધ્વાચા તા અનેક વે! માનીને તેએનામાં પરસ્પર ભેદ જ નહિ પણ ઈશ્વરથી પણ તે બધાને ભેદ સ્વીકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy