SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ e જૈનદર્શનની જેમ આત્માને તત્ત્વતઃ અનેક માનવામાં આવ્યા છે. એવાં વૈદિકદશનામાં ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યાગ, ઉત્તરમીમાંસા એ શ્તા છે. પ્રસ્તુત ગ્રન્થમાં આ ખીન્ન પક્ષને જ મહત્ત્વ આપીને જીવને નાના—અનેક સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ જ પક્ષ જૈનાને પણ સંમત છે. વેદાન્તપક્ષ અને ઇતરપક્ષમાં જે મૌલિક ભેદ છે તે એ જ છે કે વેદાન્તને મતે એક જ આત્મા મૌલિક તત્ત્વ છે અને અનેક આત્મા સંસારમાં જે દેખાય છે તે એ મૌલિક એક જ આત્માને લીધે છે, તે બધા સ્વત ંત્ર નથી; તેથી વિપરીત વેદાતેતર પક્ષનુ કહેવુ છે કે સંસારમાં જે અનેક આત્મા દેખાય છે તે પ્રત્યેક સ્વતંત્ર આત્મા છે, તેએનુ' અસ્તિત્વ ખા કાઈ આત્મા ઉપર તત્ત્વતઃ નિર્ભર નથી. વેદ અને ઉપનિષદના અનુયાયીએ તેની જે વિચારધારા છે તેને માનવી જોઈએ-એટલે કે અદ્વૈતના સ્વીકાર કર! જોઈએ, પણ વેદાન્ત સિવાયનાં ખીન્ન બધાં વૈદિક દનાએ તેમ નહિ કરતાં અનેક આત્મા તત્ત્વતઃ સ્વીકાર્યાં તે વૈદખાદ્ય વિચારધારાની અસરને સૂચવે છે. પ્રાચીન સાંખ્યપર પરા અને જૈન પરપરાએ એમાં મુખ્ય ભાગ ભજવ્યેા હેય તા આશ્ચર્ય નથી. પ્રાચીન કાળમાં સાંખ્ય એ પણ અવૈદિક દર્શન જ ગણાતું, પણ પછીથી તેને વૈદિક બનાવી દેવામાં આવ્યું છે એ ઐતિહાસિકા સારી રીતે જાણું છે. આટલી પ્રાસંગિક ચર્ચા પછી હવે આપણે એ જોઈએ કે બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં અદ્વૈત આત્મા સાથે અનેક જીવાની સ ંગતિ ઘટાવતા કેવા કેવા મનભેદ થાય છે. (અ) વેદાન્તીઓના મતભેદા (૧) શંકરાચાર્યના વિવત વાદ-આચાયૅ શંકરનું કહેવુ છે કે બ્રહ્મ મૂળ એક છતાં અનાદિ અવિદ્યાને કારણે અનેક જીવરૂપે અનુભવમાં આવે છે. દેરડીમાં સપનું ભાન જેમ અજ્ઞાનને કારણે થાય છે તેમ બ્રહ્મમાં અજ્ઞાનને કારણે અનેક જીવાનુ ભાન થાય છે, દેરડી એ સરૂપે ઉત્પન્ન થતી નથી, સર્પને ઉત્ત્પન્ન કરતી નથી, છતાં તેમાં સપનું ભાન થાય છે, તેમ બ્રહ્મ એ અનેક જીવરૂપે ઉત્પન્ન થતું નથી, અનેક જીવને ઉત્પન્ન કરતું નથી છતાં પણ અનેક જીવરૂપે અનુભવાય છે. તેનું કારણ અવિદ્યા છે-માયા છે; આથી અનેક જીવ એ માયિક છે, મિથ્યા છે. માટે જ તે બ્રહ્મના વિવ કહેવાય છે. જીવનું જો એ અજ્ઞાન ટળી જાય તેા બ્રહ્મતાદાત્મ્ય અનુભવમાં આવે અર્થાત્ જીવભાવ ટળીને બ્રહ્મભાવ અનુભવાય. શંકરના આવા મતને કેવલાદ્વૈતવાદ એટલા માટે કહેવામાં આવે છે કે કૈવલ એક અદ્વૈત બ્રહ્મ-આત્માને જ સત્ય માને છે, બાકીની બધી વસ્તુએને માયિક યા મિથ્યા માને છે. જગતને મિથ્યા માનતા હોવાથી તેમના મતને “માયાવાદ” પણ કહેવામાં આવે છે. આનું જ ખીજુ` નામ “વિવ વાદ” પણ છે. (ર) ભાસ્કરાચાર્યને સત્યે પાધિવાદ—નિરુપાધિક બ્રહ્મ અનાદિકાલીન સત્ય એવી ઉપાધિને કારણે જીવરૂપે પ્રકટ થાય છે, એમ આચાય ભાસ્કર માને છે. નિત્ય, શુદ્ધ, મુક્ત, ફૂટસ્થ બ્રહ્મ જે ક્રિયાથી મૂર્ત પદાર્થમાં પ્રવેશ કરીને અનેક જીવા તરીકે પ્રકટ થાય છે તે જીવાને આધાર આપે છે. તે ક્રિયાને ભાષાન્તરની ૧. આ મતભેદેનુ પ્રદર્શીન શ્રી પ્રસ્તાવનાના મુખ્યપણે આધાર લઈને Jain Education International ગેા. કર્યું હુ. છે, તેની સાભાર નોંધ લઉં છેં. ભટ્ટ-કૃત બ્રહ્મસૂત્રાણુભાષ્યના ગુજરાતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy