SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉપસંહાર આત્મસ્વરૂપ એ ચૈતન્ય છે એ નિષ્કર્ષ ભારતીય બધાં દર્શનાએ સ્વીકાર્યો છે. ચાર્વાક દર્શન જે નાસ્તિક દર્શનને નામે ઓળખાય છે તે પણ આત્માને ચેતન જ કહે છે. તેને બીજાં દર્શનેથી જે મતભેદ છે તે એ છે કે આત્મા તે ચેતન છતાં શાશ્વત તત્વ નથી, એ ભૂતમાંથી નિષ્પન્ન થાય છે. બૌદ્ધ પણ ચેતન તત્ત્વને બીજાં દર્શનની જેમ નિત્ય નથી કહેતા, પણ ચાર્વાકની જેમ જન્ય કહે છે છતાં ચાર્વાક અને બૌદ્ધમાં એક મહત્ત્વને ભેદ છે, તે એ કે બોદ્ધોને મતે ચેતન જન્ય છતાં ચેતન સંતતિ અનાદિ છે. ચાર્વાક પ્રત્યેક જન્ય ચેતનને સર્વથા મિત્ર જ અપૂર્વ જમાને છે. બૌદ્ધ પ્રત્યેક જન્ય ચૈતન્યક્ષણને પૂર્વજનક ક્ષણથી સર્વથા ભિન્ન કે અભિન હોવાની ના પાડે છે. ચાર્વાકને ઉચ્છેદવાદ કે ઉપનિષદ અને બીજાં દર્શને આત્મ શાશ્વતવાદ બૌદ્ધદર્શનને માન્ય નથી; એટલે જ તે આત્મસંતતિ અનાદિ છે એમ કહે છે, આત્મા અનાદિ છે એમ નથી કહેતું. સાંખ્ય-ગ, ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા અને જૈન એ બધાં દર્શને આત્માને અનાદિ માને છે, પણ જૈન અને પૂર્વમીમાંસાદર્શનને ભાપક્ષ આત્માને પરિણમી નિત્ય માને છે, જ્યારે બાકીનાં બધાં દર્શને તેને કૂટસ્થ નિત્ય માને છે. આત્માને ફૂટસ્થ માનનારા, તેમાં કશાં જ પરિણામો થતાં નથી એમ માનનારા પણ સંસાર અને મેક્ષ તે માને છે અને તેને પરિણામી નિત્ય માનનારા પણ તેને સંસાર અને મોક્ષ માને છે. એટલે કઠસ્થ કે પરિણામી માનવા છતાં છેવટે સંસાર અને મોક્ષની બાબતમાં કશે જ મતભેદ નથી. તે તો છે જ. તેને કેવી રીતે ઘટાવવો એ એક નિરાળે પ્રશ્ન છે. આત્માના સામાન્ય સ્વરૂ૫ ચૈતન્યને વિચાર કર્યા પછી હવે તેના વિશેષ સ્વરૂપનો વિચાર કરે સરળ થઈ પડશે. છ અનેક છે. પ્રસ્તુત ગ્રન્થમાં (ગા૦ ૧૫૮૧-૮૫) છો અનેક છે એ પક્ષ સ્વીકારવામાં આવ્યો છે, અને આમ દેત એટલે કે “આત્મા એક જ છે એ પક્ષનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આપણે જોયું તે પ્રમાણે વેદથી માંડીને ઉપનિષદની જે વિચારધારા છે તેમાં અદ્વૈતપક્ષનું જ અવલંબન મુખ્યત્વે છે એટલે ઉપનિષદના સિદ્ધાંતને આધારે વેદાંતદર્શનની વ્યવસ્થા બ્રહ્મસૂત્રમાં કરવામાં આવી ત્યારે પણ તમાં અદતના સિદ્ધાંતને જ પુષ્ટ કરવામાં આવ્યું પરંતુ સંસારમાં જે અનેક જીવો પ્રત્યક્ષ છે તેને નિષેધ કરવો સહજ હતો નહિ, એટલે આપણે જોઈએ છીએ કે તરવત: એક આત્મા માનવા છતાં એ એક દેત આમા કે બ્રહ્મ સાથે સંસારમાં પ્રત્યક્ષ થતા અનેક જીવોને શો સંબંધ છે તેને ખુલાસો કરવો આવશ્યક હતા; એ ખુલાસે બ્રહ્મસૂત્રની વ્યાખ્યાકારોએ કર્યો પણ છે; પરંતુ એમાં એકમાત્ય રહ્યું નહિ તેથી વેદાન્તદર્શનની અનેક પરંપરાઓ વ્યાખ્યાભેદ થઈ ગઈ છે. વેદાન્તદર્શનની જેમ બીજું પણ વૈદિક દર્શને છે, પરંતુ તેમણે વેદાન્તની જેમ ઉપનિષદોને જ આધાર માનીને પોતાના દર્શનનું ઘડતર કર્યું નથી. રૂઢિવશાત શાસ્ત્ર કે આગમને સ્થાને વેદ અને ઉપનિષદને માનવા છતાં તે દર્શનમાં ઉપનિષદના અદ્વૈતપક્ષને સ્થાન મળ્યું નથી, પરંતુ વેદ બાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy