________________
* શ્રી શીતલનાથ સ્વામી
૧૦
ભદિલપુર નામે એક શ્રેષ્ઠ નગર. સોહામણું અને સુંદર નગર,
એ નગરનો સુવર્ણમય કિલ્લો અદ્ભુત અને અદ્વિતીય હતો. ભક્િલપુર નગરમાં દઢરથ નામનો રાજા રાજ કરે.
દઢરથે રાજા ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતો હતો. દયાળુ અને મહાદાની રાજવી હતો. મહારાજા દઢરથને નંદા નામની પટ્ટરાણી હતી.
મહાદેવી નંદા સુશીલ, સંસ્કારી અને ઉત્તમ સ્વભાવની હતી. મહારાજા દઢરથ અને મહાદેવી નંદાના દિવસો સુખેથી પસાર થતા હતા.
પ્રાણત કલ્પમાં પડ્યોત્તર રાજાના જીવે વીશ સાગરોપમ આયુષ્ય પૂર્ણ કર્યું. પક્વોત્તર રાજાનો જીવ ત્યાંથી આવીને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે પૂવષાઢા નક્ષત્રમાં આવતા. નંદા મહાદેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થયો. તે વખતે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન સુખેથી નિદ્રા માણી રહેલાં મહાદેવીએ મુખમાં પ્રવેશતાં જોયા.
મહાદેવી નંદાએ તરત જ મહારાજા દઢરથને જાગૃત કર્યા અને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી. મહારાજાએ અતિ હર્ષિત થઈને જણાવ્યું કે આ ભવનમાં સર્વશ્રેષ્ઠ પુત્રરત્નનો જન્મ થશે.
મહાદેવી નંદાના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.
અને માઘ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતા શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org