SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથ સ્વામી શ્રી સુવિધિનાથ સ્વામીના નિવણ પછી કેટલોક કાળ પસાર થયા પછી હુંડાવસર્પિણી (મહાકનિષ્ટ અવસર્પિણી) કાળના દોષથી સાધુઓનો ઉચ્છેદ થઈ ગયો. આ સમયમાં ધર્મથી અળગા થઈ ગયેલા લોકો સ્થવિર શ્રાવકોને ધર્મ વિષે પૂછવા લાગ્યા. શ્રાવકો પોતાની સમજ મુજબ ધર્મ કહેવા લાગ્યા. ત્યારે લોકો તેઓની શ્રાવકોચિત અર્થ પૂજા કરવા લાગ્યા. આ રીતે પૂજા અર્ચના થતી રહેવાથી શ્રાવકોના હૈયામાં દ્રવ્યાદિકમાં લોભ જાગ્યો. આથી શ્રાવકોએ તરત જ નવા કૃત્રિમ શાસ્ત્રોની રચના કરી. તેમાં વિવિધ જાતના મોટા ફળ આપનાર દાનો પ્રગટ કર્યા. તેમાં પ્રતિદિન લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલોક-પરલોકમાં નિશ્ચિત મોટા ફળવાળા કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપ્રદાન ગૃહદાન, અશ્વદાન, ગજદાન, અને શય્યાદાન વગેરે વિવિધ પ્રકારના દાનોને મુખ્યપણે ગણાવ્યા. જ્યારે દુષ્ટ આશયવાળા અને ધનપ્રાપ્તિની લાલસાવાળાઓએ તે સર્વ દાન દેવા માટે પોતે જ યોગ્ય પાત્ર છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એ રીતનો પ્રચાર અને પ્રસાર કરતાં તેઓ લોકોના ગુરૂ થઈ ગયા. આ રીતે જ્યાં સુધી શ્રી શીતલનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તે ત્યાં સુધી સર્વ પ્રકારે તીથચ્છેદ રહ્યો. કેટલાક લોકોએ આ ભરતક્ષેત્ર ઉપર પોતાનું એક છત્ર રાજ્ય ચલાવ્યું ત્યારપછી બીજા છ જિનેશ્વરોના અંતરમાં પણ એટલે શ્રી શાંતિનાથ સ્વામીના અંતર સુધી એ રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્લ્ડ અને તીર્થનો ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિનો અખ્ખલિત પ્રચાર અને પ્રસાર થયો. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy