________________
ચોવીશ તીર્થંકર
અઠ્યાવીશ પૂવગ અને ચાર માસે ઊણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખ ને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજાર ને ચારસો અવધિજ્ઞાનીઓ, દોઢ હજાર પૂર્વધારી, સાડાસાત હજાર માર્યવજ્ઞાની, સાત હજાર અને પાંચસો કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અને ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને બોતેર હજાર શ્રાવિકાઓ-આટલો પરિવાર થયો.
પ્રાંતે પ્રભુ સમેતશિખર પર્વતે ગયા ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યાં.
કારતક માસની કૃષ્ણ નવમીના દિવસે મૂળ નક્ષત્રે હજાર મુનિઓની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા.
શ્રી સુવિધિનાથ પ્રભુએ અદ્ધ લાખ પૂર્વ કુમાર વયમાં પસાર કર્યો. પચાસ હજાર પૂર્વ રાજ્યનો કારભાર સંભાળવામાં વ્યતિત કયાં.
શ્રી સુવિધિનાથ પ્રભુએ એક લાખ પૂર્વ વ્રતમાં પસાર કર્યા. એકંદર બધું મળીને બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુએ ભોગવ્યું હતું.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો નિવણિ પછી નેવું કોટી સાગરોપમ ગયા પછી સુવિધિનાથ સ્વામીનું નિવણિ થયું
પ્રભુના નિર્વાણ પછી સર્વ ઇન્દ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા તીર્થંકર ભગવંત શ્રી સુવિધિનાથ પ્રભુના દેહનો વિધિયુકત શરીર સંસ્કાર કર્યો અને મોક્ષ પ્રાપ્તિનો અનુપમ મહિમા કર્યો ત્યાર પછી સૌ પોતપોતાના પરિવાર સાથે સ્વ સ્થાનકે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org