________________
શ્રી સુવિધિનાથ સ્વામી
૮૭
કરી અને તીર્થાય નમઃ એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂવૉભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના બીજા રૂપ વિકુવ્ય. પછી દેવતાઓ, સૂર, અસુરો, માનવો, તિર્યંચ જીવો વગેરેએ પર્ષદામાં યોગ્ય સ્થાને બેઠક ગ્રહણ કરી. એ પછી શક્રઇન્દ્ર પ્રભુ શ્રી સુવિધિનાથ સ્વામીને ભાવભર્યા વંદન કરીને સ્તુતિ કરી.
ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી શ્રી સુવિધિનાથ સ્વામીએ દેશના આપી.
શ્રી સુવિધિનાથ સ્વામીએ સર્વ જીવોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. સંસાર અનંત દુઃખના સમૂહનો ભંડાર છે તે વાત કહી. કર્મ, આશ્રવ તેમજ મોહનીય કર્મની રૂપરેખા કહી સંભળાવી.
શ્રી સુવિધિનાથ પ્રભુની ધર્મદિશનાથી હજારો પુરુષો બોધ પામ્યા અને અનેક ભવ્ય જીવોએ તરત જ દીક્ષા અંગીકાર કરી. પ્રભુને વરાહ વગેરે અક્યાસી ગણધરો થયા.
જ્યારે પ્રભુની દેશના પૂરી થઈ પછી શ્રી વરાહ ગણધરે ધમદિશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરોએ નંદીશ્વર દ્વીપે જઈને અદ્વિક ઉત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા.
પ્રભુશ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહન યુક્ત, બે દક્ષિણ ભૂજાઓમાં બીજોવું અને અક્ષસૂત્ર તથા બે વામભૂજાઓમાં નકુલ અને ભાલાને ધારણ કરનારો અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારો શાસનદેવતા થયો. તેમજ ગૌર વર્ણવાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ ભૂજામાં કળશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામની યક્ષણી પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બંને દેવતાઓની અધિષ્ઠિત પ્રભુ લોકોને બોધ કરતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org