________________
૮૬
ચોવીશ તીર્થકર
-
- -
જરા પણ ભાવ ન હોવા છતાં પિતાના આગ્રહને કારણે રાજ્યનો કારભાર સંભાળ્યો. અઠ્યાવીશ પૂર્વાગ સહિત પચાસ હજાર પૂર્વ તેઓએ વિધિ વડે રાજ્યઋદ્ધિનું પાલન કર્યું. પ્રભુને વ્રત ધારણ કરવાની ઈચ્છા થતાં લોકાંતિક દેવતાઓએ આવીને વ્રત માટે પ્રભુને પ્રેરણા કરી.
ત્યારબાદ પ્રભુએ એક વર્ષ સુધી વાચકોને ઈચ્છાનુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનના અંતે દેવતાઓએ જન્મકાળની જેમ પ્રભુનો વિધિથી દીક્ષાભિષેક કર્યો. પછી સુરઅસુરોથી વિંટાયેલા પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસીને સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં માગશર માસના કૃષ્ણપક્ષની ષષ્ટીએ મૂળ નક્ષત્રમાં ત્રીજા પ્રહરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠતપ કરીને દીક્ષા અંગીકાર કરી. દિક્ષા ગ્રહણ કરતાં જ મન પર્વવજ્ઞાન પ્રાપ્ત થયું.
બીજા દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય ઉત્પન્ન કર્યા. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવ્યું.
શ્રી સુવિધિનાથ પ્રભુએ મમતારહિત, અનેક પરિષહોને સહન કરતા એકલા રહીને ચાર માસ સુધી છપસ્થપણે વિહાર
કર્યો.
શ્રી સુવિધિનાથ પ્રભુ ફરીવાર ફરતાં ફરતાં સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં માલુટવૃક્ષ નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને અપૂર્વકરણના ક્રમથી કારતક માસની શુકલ તૃતિયાના દિવસે મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ સુરઅસુરોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુએ તેમાં પૂર્વ ધારેથી પ્રવેશ કર્યો. ત્યાં મધ્યમાં રચેલા બારસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને સર્વ અતિશય શોભતા પ્રભુએ પ્રદક્ષિણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org