________________
શ્રી સુવિધિનાથ સ્વામી
૮૫
-
-
-
મૂળ નક્ષત્રમાં ચંદ્ર આવતા મગરના ચિહ્નયુક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને રામાદેવીએ જન્મ આપ્યો.
તરત જ છપ્પન દિકકુમારીઓએ ત્યાં આવીને પ્રભુ તથા માતાનું સૂતિકાકર્મ કર્યું
- ત્યાર પછી સૌ ધર્મ કલ્પનો અધિપતિ અભિયોગ્ય દેવતાની જેમ આવીને પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂપર્વતના શિખર ઉપર લઈ ગયો અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસને પ્રભુને ઉસંગમાં રાખીને બેઠો ત્યાં અશ્રુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઇન્દોએ તીર્થના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું . સૌધર્મેન્દ્ર ઇશાનપતિને પ્રભુને સોપ્યા, અને ઈશાનપતિના ખોળામાં રહેલા પ્રભુને વૃષભના શૃંગમાંથી નીકળેલા સુગંધી જળ વડે તેણે સ્નાન કરાવ્યું. ત્યારબાદ વસ્ત્રાભૂષણો, અલંકારો અર્ચને આરતી ઉતારી.
શકે ઇન્દ્ર ત્યારપછી પ્રભુની સ્તુતિ ભાવવાહી સ્વરે કરવા લાગ્યો. શકેન્દ્ર સ્તુતિ કર્યા પછી પ્રભુને રામાદેવી પાસે લઈ ગયા અને જે સ્થિતિમાં પ્રભુ હતા તેવી જ સ્થિતિમાં સ્થાપન કર્યા.
પ્રભુ જ્યારે રામાદેવીના ગર્ભમાં હતા ત્યારે ત્યારે સર્વ રીતે કુશળ હતા. તેથી “સુવિધિ’ અને પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી પુષ્પદંત એ પ્રમાણે પ્રભુના બે નામ માતાપિતાએ અનેરો મહોત્સવ રચીને ઉજવ્યો. દિવસો પસાર થવા લાગ્યા. સુવિધિકુમારનું બાળપણ ક્રીડા અને રમતગમતમાં પસાર થયું.
સો ધનુષ્ય ઊંચા શ્વેત અંગવાળા પ્રભુ યૌવનાવસ્થામાં પ્રવેશ્યા. પ્રભુ સંસારથી વિરક્ત હતા, છતાં માતાપિતાના અત્યંત આગ્રહથી અત્યંત સુંદર રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા.
જન્મથી પચાસ હજાર પૂર્વ ગયા પછી જેમને સંસાર પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org