________________
૯
: શ્રી સુવિધિનાથ સ્વામી
(શ્રી પુષ્પદંત)
કોકદી નામની નગરી.
અનુપમ અને દર્શનીય નગરી, કાંકદી નગરી જોવા માટે આજુબાજુના ગામના લોકો આવતા-જતા રહેતા હતા કાંકદી. નગરીના દરેક માર્ગો સુઘડ અને સ્વચ્છતાથી સભર હતા. નગરીની બજારો સુવ્યસ્થિત અને સુંદર હતી. એટલું જ નહિ નગરીની પ્રજા પણ પરમ સુખી સંતોષી હતી.
કાંકદી નગરીનો રાજા સુગ્રીવ ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા દાખવનારો હતો. મહારાજા સુગ્રીવની કીર્તિ ચોતરફ ફેલાયેલી હતી.
મહારાજા સુગ્રીવને રામા નામની રાણી હતી. મહાદેવી રામા અનિદ્ય રૂપ ધરાવતી હતી.
રામા રાણી સુશીલ, સંસ્કારી અને ગુણી હતી. ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા રાખતી હતી.
મહારાજા સુગ્રીવ આનંદપ્રમોદથી વ્યતિત થતા હતા.
એક દિવસ વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ નામના રાજાનો જીવ તેત્રીસ સાગરોપમનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ફાગણ માસની કૃષ્ણ નવમીના દિવસે ત્યાંથી આવીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે મહારાણી રામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા હસ્તી સહિત ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયા.
Jain Education International
અને રાણી સમાના દિવસો
રામાદેવીએ પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા.
પૂર્ણ સમય થતાં માગશર માસની કૃષ્ણ પંચમીના દિવસે
For Private & Personal Use Only
www.jainelibrary.org