________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામી
૮૩
એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદપૂર્વીઓ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મનઃ પર્યવજ્ઞાનીઓ, દસ હજાર કેવળજ્ઞાનીઓ, ચૌદ હજાર વૈક્રિય લબ્ધિધારી, સાત હજાર અને છસો વાદલબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકો તથા ચાર લાખ ને એકાણું હજાર શ્રાવિકાઓ પરિવારમાં હતા.
ચોવીસ પૂર્વ ત્રણ માસે વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સમેતશિખર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. અનશન વ્રત એક માસ સુધી રહ્યું. ત્યારપછી સર્વ યોગનો વિરોધ કરીને નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભવ પર્યત રહેનાર ચાર કર્મ તત્કાળ ક્ષીણ થઈ ગયા.
ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિઓની સાથે પરમપદને પ્રાપ્ત થયા.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. ચોવીશ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્યકાળમાં તથા ચોવીશ પૂર્વ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં, એ રીતે બધા મળીને દશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું.
શ્રી સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવસો કોટી સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ સ્વામી નિવણિ પદને પામ્યા.
શ્રી ચંદ્રપ્રભ સ્વામી મોક્ષે ગયા પછી ઇન્દ્રો-સુરેશ્વરોએ તેમનો તથા અન્ય મુનિરાજોનો વિધિથી અંગ સંસ્કાર કર્યો. ત્યારપછી તેઓ દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org